________________
લબિ તણા ભંડાર અશુભ પરિણામ :- અત્યંત અશુભ હોય છે.
બંધન :- શરીર આદિ પગલે અત્યંત અશુભ હોય છે, તેમાંથી સત દુર્ગધ નીકળ્યા કરે છે.
ગતિ : ચાલવાની પદ્ધતિ. નારકીનો જન્મ અશુભથી ભરેલો છે તેથી તેમની ચાલ પણ ઉંટ જેવી કઢંગી હોય છે.
સંસ્થાન : આકૃતિ. નરકના ક્ષેત્રની અને નારીની આકૃતિ ભયંકર, ડરામણી હોય છે જે જોતાંજ ઉગ થાય.
ભેદ : નરકાવાસોની ભીંત અને નરકના શરીરમાંથી અશુભ પદાર્થો ખરતા હોય છે.
વર્ણ : તે ક્ષેત્રમાં સર્વત્ર અંધકાર હોય છે. દરેક પદાર્થો નો વર્ણ ત્રાસજનક અત્યંત કૃષ્ણ હોય છે.
ગંધ : આ ભૂમિઓ અશુચિ પદાર્થોની ભરેલી હોવાથી સદાય દુર્ગંધ છૂટે છે. રસ = આ ભૂમિના રસો અત્યંત કડવા હોય છે.
સ્પર્શ = અત્યંત ઉષ્ણ કે શીત સ્પર્શ હોય. તથા વીંછીના ડંખ કરતા પણ અધિક ત્રાસજનક હોય છે.
અગુસલધુ હલકા કે ભારે શરીરનો આ પ્રકાર અનિષ્ટ હોય છે.
શબ્દ = અત્યંત કષ્ટ અને વેદનાને કારણે તેઓ આઠંદ કરતા હોય છે. તે શબ્દો સાંભળવાથી ત્રાસ છૂટે તેવા હોય છે.
અશુભદેહ = હુંડક સંસ્થાન, અવયવોની રચના બેડોળ, વૈક્રિય હોવા છતાં અશુભ પુદ્ગલોથી ભરેલું હોય છે.
વેદના = ક્ષેત્રકૃત, પરસ્પર ઉદીતિ, પરમાધઆમી કૃત એમ ત્રણ પ્રકાર છે.
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org