SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અશુભ પરિણામ :- અત્યંત અશુભ હોય છે. બંધન :- શરીર આદિ પગલે અત્યંત અશુભ હોય છે, તેમાંથી સત દુર્ગધ નીકળ્યા કરે છે. ગતિ : ચાલવાની પદ્ધતિ. નારકીનો જન્મ અશુભથી ભરેલો છે તેથી તેમની ચાલ પણ ઉંટ જેવી કઢંગી હોય છે. સંસ્થાન : આકૃતિ. નરકના ક્ષેત્રની અને નારીની આકૃતિ ભયંકર, ડરામણી હોય છે જે જોતાંજ ઉગ થાય. ભેદ : નરકાવાસોની ભીંત અને નરકના શરીરમાંથી અશુભ પદાર્થો ખરતા હોય છે. વર્ણ : તે ક્ષેત્રમાં સર્વત્ર અંધકાર હોય છે. દરેક પદાર્થો નો વર્ણ ત્રાસજનક અત્યંત કૃષ્ણ હોય છે. ગંધ : આ ભૂમિઓ અશુચિ પદાર્થોની ભરેલી હોવાથી સદાય દુર્ગંધ છૂટે છે. રસ = આ ભૂમિના રસો અત્યંત કડવા હોય છે. સ્પર્શ = અત્યંત ઉષ્ણ કે શીત સ્પર્શ હોય. તથા વીંછીના ડંખ કરતા પણ અધિક ત્રાસજનક હોય છે. અગુસલધુ હલકા કે ભારે શરીરનો આ પ્રકાર અનિષ્ટ હોય છે. શબ્દ = અત્યંત કષ્ટ અને વેદનાને કારણે તેઓ આઠંદ કરતા હોય છે. તે શબ્દો સાંભળવાથી ત્રાસ છૂટે તેવા હોય છે. અશુભદેહ = હુંડક સંસ્થાન, અવયવોની રચના બેડોળ, વૈક્રિય હોવા છતાં અશુભ પુદ્ગલોથી ભરેલું હોય છે. વેદના = ક્ષેત્રકૃત, પરસ્પર ઉદીતિ, પરમાધઆમી કૃત એમ ત્રણ પ્રકાર છે. ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy