________________
લબિ તણા ભંડાર અહિંસક અને વીતરાગ ભાવવાળા છે. દેવોને દર્શનીય છે. સુરેન્દ્રોને સેવનીય છે. મુનીનોને માનનિય છે. પ્રાણી માત્રને પૂજનીય છે. વિશ્વને વિવંદનીય છે.
તાપસો કહે કે અમને તેમના દર્શન કરાવી ઉપકૃત કરો.”
પરંતુ અમારી ભાવના એવી છે કે અમને આ પવિત્ર સ્થાને ભગવાનના શાસનની દીક્ષા આપવાનો અનુગ્રહ કરો.
તાપસોની યોગ્યતાને ઉત્સુકતા જોઈ ગૌતમસ્વામીએ તેઓને જૈનશાસનની દીક્ષા આપી, વળી આ તાપસી કેટલાય સમયથી લૂખાસૂકા આહાર વડે તપશ્ચર્યા કરતા હતા, તેમને શ્રી ગૌતમે પૂછ્યું કે આજે તમે કેવા પદાર્થથી પારણું કરવા ધારો છો? તમારો શો અભિગ્રહ છે?
તાપસી કહે “અમને નિર્દોષને ઉત્તમ એવા ખીરના પારણાં કરાવો.” આ પ્રદેશમાં એમ થવું અશક્ય હતું. પણ ગૌતમસ્વામીએ પોતાની લબ્ધિથી પોતાનું પાત્ર ખીરથી ભરી દીધું ને બધા તાપસોને આદેશ કર્યો કે પારણાં માટે પંક્તિમાં ગોઠવાઈ જાવ.
પછી તો અંગૂઠે અમૃત વસે એ લબ્ધિથી પાત્ર ભરાઈ ગયું ને બધાંને પારણાં થયાં
તાપસોએ પારણું કર્યું તે એક નિમિત્ત હતું. પણ તે સમયની ગૌતમગુરુની આવી અનુપમ લબ્ધિનો વિચાર કરતાં તેઓને અત્યંત અહોભાવ પ્રગટ થયો. પાંચસોએક તાપસી કે જેઓ માત્ર સૂકી સેવાળનો આહાર કરતા હતા, તેમની આવી શુધ્ધ ભાવનાથી તેમનું ઉપાદાન જાગૃત થતાં, શુક્લધ્યાનને આરૂઢ થઈ તેઓ તેજ સ્થળે એકી સાથે કેવળજ્ઞાન પામ્યા
ધન્ય તે વેળા; ધન્ય તે ઘડી
ત્યાર પછી ગૌતમગુરએ સૌ તાપસો સહિત પ્રભુ પ્રત્યે પ્રસ્થાન કર્યું. માર્ગમાં તાપસોને ધર્મોપદેશ આપતા સુખપૂર્વક સૌ વિહાર કરતા હતા. ૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org