________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
વેદનીય કમને વિષે બંધસ્થાને તથા ભૂયસ્કારાદિ
બંધ સ્થાનેનું વર્ણન પ્રશ્ન ૭૪, વેદનીય કર્મના બંધ સ્થાન કેટલા હોય ? અને કેટલા) ક્યા કયા ગુણસ્થાનક સુધી હોય? કઈ રીતે ?
ઉત્તર : વેદનીય કર્મની બે પ્રકૃતિઓમાંથી કઈ પણ એક પ્રકૃતિનું બંધસ્થાન જેને હોય છે એટલે કે શાતા-અશાતા બે પ્રકૃતિઓમાંથી કોઈ પણ એક પ્રકૃતિ છ ગુણસ્થાનક સુધી અંતર્મુહૂતે અંતર્મુહૂર્ત પરાવર્તમાન રૂપે બંધાય છે. સાતમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી એક શાતા વેદનીય બંધાયા કરે છે.
પ્રશ્ન ૭૫. વેદનીય કર્મને ભૂયસ્કારાદિ બંધસ્થાનમાંથી કેટલા કેટલા બંધસ્થાન હેય?
ઉત્તર : વેદનીય કર્મમાં ભૂયરકાર બંધ, અલ્પતર બંધ તથા અવ્યક્તવ્ય બંધ હેતા નથી, માત્ર એક અવસ્થિત બંધ હોય છે.
પ્રશ્ન ૭૬. વેદનીય કર્મમાં અવક્તવ્ય બંધ શા માટે ન હેય?
ઉત્તર : વેદનીય કર્મને અબંધક જીવ ચૌદમા ગુણસ્થાનકે થાય છે. ત્યાંથી પડવાને અભાવ હોવાથી ફરીથી વેદનીય કર્મને બંધક થતું ન હોવાથી અવક્તવ્ય બંધ ઘટતે નથી (હાય જ નહિ).
પ્રશ્ન ૭૭. વેદનીય કર્મમાં ભૂયસ્કાર તથા અલ્પતર બંધ શા કારણથી ન હોય?
ઉત્તર : વેદનય કર્મમાં એક પ્રકૃતિનું બંધસ્થાન હોવાથી ન ઘટે કારણ કે એછી પ્રકૃતિઓનો બંધ કરતાં અધિક પ્રકૃતિઓ બાંધે તે ભૂયસ્કાર થાય તે અત્રે નથી અને અધિક પ્રકૃતિઓને બંધ કરતાં ઓછી પ્રકૃતિએને બંધ કરે તે અલ્પતર થાય તે પણ અત્રે નથી.
પ્રશ્ન ૭૮. વેદનીય કર્મને અવસ્થિત બંધ જઘન્ય તથા ઉત્કટથી કેટલા કાળ સુધી હેય?
ઉત્તર : વેદનીય કર્મને અવરિચત બંધ જઘન્યથી એક અંતમુહુર્ત હોય છે જ્યારે ઉત્કૃષ્ટ બંધ આઠ વર્ષ ન્યૂન (દેશન) પૂર્વ સિડ વરસ સુધી હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org