Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ યોગીની એકાગ્રતાને વાંકી કરી શકો નહિ. ૧૯. યોગી પર ઓચિંતુ આકાશમાંથી પર્વતને પણ ચૂરી નાખે તેવું કાળચક્ર તૂટી પડયું. યોગીન્દ્રનું ગોઠણ સુધીનું શરીર ભૂમિમાં દટાઈ ગયું, હાથની આંગળીના ટેરવા ભૂમિને અડી ગયાં, છતાં ધ્યાનની તાલીમાં અણુમાત્ર પણ અસર થઈ નહિ. ૨૦. મધ્યરાત્રિ હોવા છતાં હિ ફાવ્યું. અંધારુ ફીટયું. ખીલતા પ્રાતઃકાળની આછી સુરખી પથરાઈ ઉષાદેવીની રોશની ઝળકી ઊઠી, લાલ કિરણોએ વૃક્ષ શિખાઓમાં સોનેરી ચિત્રો કાતર્યા, સૂર્યને ઉદય થયા અને એક તેજસ્વી દિવ્ય પુરુષને પડછાયે યોગીન્દ્રની સન્મુખ આવી બેલ્યો કે–“દેવાય ! સવાર થયું. પક્ષિઓ કિલકિલાટ કરતાં ચારા માટે વનવાડીમાં જાય છે, છતાં આપ કેમ ઊભા છો ? હવે વિચરી ભૂમિતળને પાવન કરે. ગિના જ્ઞાનમાં યથાર્થતા હતી, જેથી પ્રત્યક્ષ દેખાતી મધ્ય રાત્રિમાં પ્રભાતની ભ્રમણ થાય તેમ ન હતું. પછી વિહારની તો વાત જ શી ? પુનઃ દિવ્ય પુરુષ હાકલ મારી જણાવ્યું ક–યોગીવર ! તમારી તપસ્યાથી હું સંતુષ્ટ થયે છું. હવે આ કષ્ટ શા માટે સહ છો ? બોલે બોલે, જલદી બેલે. શું તમારા શરીરને મદમાતી અસરાના સુખ દેનારા ખલકમાં લઈ જાઉં ? શું પલકમાં તમેને અદ્વૈત સુખ દેનારા ક્ષમાં લઈ જાઉં ? કે શું તમારા ચરણારવિંદમાં ત્રણે લેકને સાષ્ટાંગ દંડવત કરાવું ? કહે, કહે યોગીરાજ! તમને શું જોઈએ છે, તે સત્વરે જણાવો કે હું તમને તે વસ્તુ મેળવી આપું.” પણ ગિરાજને આવાં માયાભર્યા વચને સાંભળવાને નવરાશ જ ન હતી. તેમને આવાં વરદાનની તમા જ ન હતી. તેમનું જ્ઞાનબિંદુ કાઈ અનેરા અચલ સ્થાનમાં લયલીન હતું. આ પ્રમાણે વનમરણની ઘડી ઊભી કરતાં વીશ વીશ પ્રસંગો આવવા છતાં યોગીન્દ્ર તે મેરૂ પર્વતની પેઠે અચલ જ રહ્યા. સંગમકદેવ જાણે થાકી હોય તેમ તેને થયું—“યોગી જબરે છે, જેમ તેમ ગજે તે નથી, માટે હવે આજે કાંઈ નહીં, કાલે આવીશ.” એમ કહી આસુરી બાજી સંકેલી, તે ત્યાંથી બહાર નીકળ્યો. રાત્રિ વીતી, સવાર થયું, અને યોગીરાજ વાલુકા ગામ તરફ ચાલ્યા. વધુમાં આવ્યા. એક જ વાર ભેટતાં, પર્વતને રાઈ રાઈની જેમ વિખેરી નાખે એવા કાવત્રાબાજ સંગમકના પાંચસો ચોર મળ્યા. તેઓ ગિને “મામે મામો ” કહી ભેટી પડયા. યોગીરાજ ભિક્ષા માટે વાલુકામાં ગયા, પરંતુ તેમનું શરીર વિટ જેવું દેખાવા લાગ્યું. એટલે તરૂણીઓના પ્રહારે સહી નીકળી ગયા. સુલેમમાં ગયા, ત્યાં પણ ભિક્ષા માટે ફરતાં સ્ત્રીઓએ તડાપીટ કરી, જેથી બહાર નીકળ્યા. સુક્ષેત્ર ગામમાં જતાં તો દેવકૃત હાસ્ય, ગાન, અટ્ટહાસ્ય અને કટાક્ષના પ્રસંગે ઉપસ્થિત થયા, માર પડ્યો અને ગી નગરની બહાર ચાલ્યા ગયા. - હવે યોગીન્દ્ર મલયમાં ગયા, ત્યાં તે ગીનું ઉન્મત્ત રૂપ દેખાવા લાગ્યું. જેથી "બાલંકા ભય પામ્યા. કેટલાકે રાખ નાખી, કચરે ઉડાડથો, ઢેખાળા ફેંકયા, બાળાઓએ ભયભીત બની માતાપિતા પાસે રાવ ખાધી, લેગીન્દ્રને મારનું દાન કર્યું, અને તે ગામને ત્યાગ કરવા જેવી સ્થિતિમાં લાવી મૂક્યા. યોગીન્દ્ર ભીક્ષા માટે હતિશીષ ગામમાં ગયા. અહીં પણ જાણે તે યોગીને બદલે તે જ નામધારી બીજે યોગી હોય એવી રૂપની ભયાનકતા તથા દરેક અંગેની કામાંધતા લાસાન થવા લાગી, બાળાઓની સમીપમાં શારીરવિકાર દેખાય જેથી યોગીને પાર પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60