Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માતર તીર્થ લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી સુશીલવજય ( ગતાંકથી ચાલુ-લેખાંક બીજો ) સાચા દેવના ચમત્કારો વિ. સ. ૧૯૨૧ ની સાલમાં તીર્થક્ષેત્ર પાલીતાણામાં ભારે અંજનશલાકા થવાની હતી. તે પ્રસંગે માતરના જૈને પણ પાલીતાણે જવાના હતા. અધિષ્ઠિત દેવે આ વખતે ભુલા ગાઠી (પૂજારી)ને સ્વપ્ન આપ્યું કે પાલીતાણામાં રાંગચાળા થવાનેા છે. માટે કાઇ જાય નહીં તેમ સર્વેને ખબર આપી દેજે અને કહેજે કે, જે જશે તે દુ:ખી થશે. ગાઢી ભુલાએ આ વાત કાને પણ કરી નહીં. જે લેાકા પાલીતાણે જવાના હતા તે લોકો ગયા. ત્યાં ગયા બાદ સ્વપ્નમાં જણાવ્યા મુજબ રોગચાળા ફાટી નીકળ્યા. લાક હૈરાન હેરાન અને દુ:ખી થઇ ગયું, એટલું જ નહીં પણ તે સમયે માતરમાં પણ રાગચાળા ફાટી નીકળ્યા. મુખ્ય મંદિરમાં મૂળનાયક આદિ મૂત્તિએ પણ શાકાગ્ર રીતે કઇક અવળે મુખે ગાદી પરથી સ્હેજ ફરી ગઇ. મૂત્તિએની મુખમુદ્રા પણ એકદમ બદલાઇ ગઇ. ભવ્ય આકૃતિમાં પણ પલટો આવી ગયા અને મૂર્તિઓનાં અંગે એકદમ કાળાં કાળાં ચાંડાં પડી ગયાં. આ બધી વસ્તુ દહેરાસર માંગલિક કર્યા બાદ રાત્રીમાં થઇ ગઈ. રાત્રિ વ્યતીત થઇ. પ્રભાતકાળ થયા. ગેાઠી ભુટ્ટા દહેરાસર ઉઘાડવા ગયા, પણ બારણાં કેમે કરી ઊડે જ નહીં. છેવટે ગાઠીએ પ્રભુની મહાસ્તુતિ કરી ત્યારે દહેરાસરનાં દ્વાર ઊધડયાં. દ્વાર ઉઘાડી ગેડી જ્યાં અંદર જાય છે ત્યાં તે ગેડીને છૂપી રીતે માર પડવા લાગ્યા. અદશ્ય રીતે માર પડતા હોવાથી ગેડી કાઇને પણ દેખી શકયા નહીં. સખત માર પડવાથી એકદમ જમીન પર પડી ગયા ને મૂર્છા આવવાથી બેભાન થઇ ગયું.. મેભાન અવસ્થામાં તેને ભાન થયું કે મેં સ્વપ્નની વાત કાને પણ કહી નહી તેથી આમ બન્યું છે. તેના હૃદયમાં પશ્ચાત્તાપ થયા. અરે, મેં માટી ભૂલ કરી. સાચા દેવને હજુ હું એળખી ન શકયા. હૈ પ્રભુ ! હે કરુણાનિધિ ! આ વખતે મને ક્ષમા આપે!! હવે ફરીથી હુ' એવુ નહીં કરું. મારા અપરાધ ભૂલી જાઓ અને આ દુ:ખી સેવકને ઉગારા, વગેરે બેભાન . અવસ્થામાં બબડવા લાગ્યા. ત્યારપછી કેટલીક વારે શુદ્ધિ આવી, ત્યારે તે ઊભા થતે જુએ છે તે! સાચા દેવની મૂર્તિનું મુખ ભાત તરફ ફરી ગયેલુ જોયુ. બાજુની મૂત્તિ પણ તે રીતે જો. આથી તે ખૂબ ગભરાયા ને ભયભીત બની દહેરાસરની બહાર નીકળીને એકદમ બ્રૂમેનૂમ પાડવા લાગ્યા. અરેરે ! મારા હાડકાં ભાંગી ગયાં. અમ સાંભળતાંની સાથે જ આસપાસના સેક ભેગાં શ્ય ગયાં. જોતજોતામાં આખા માતર ગામમાં ખબર ઘડી ગઇ. સૌ જૈન જૈનેતર }ાડી આવ્યું અને ભુલા ગાડીને પૂછવા માંડયું, અરે ભાઇ ! આ શું થયુ ? ગાડીએ સ` હકીકત કહી સંભળાવી. સાંભળીને લેાકેા તે સજ્જડ થઇ ગયા. દહેરાસરમાં જવાની કાની પણ હિમ્મત ચાલી નહીં. છેવટે વયેવૃદ્ધશે. હકમચંદ દેવચંદે હામ ભીડી અને તે સાચા દેવ શ્રી સુમતિનાથની ભાવ પૂર્વક સ્તુતિ કરી. દહેરાસરમાં ગયા. પ્રભુ મૂર્ત્તિઓને અવળે મુખે ફરીને ખેડેલી જોઇ, પ્રક્ષાલન પૂજા આદિ ભક્તિ ભાવ પૂર્ણાંક કર્યાં. આ રીતે છ મહીના સુધી પ્રભુ પ્રતિમાઓ અવળે મુખે રહી. તે સ્થિતિમાં તેમને હંમેશાં પ્રક્ષાલન પૂજા આદિ થતાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60