Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬-૭] ગિરનાર તીર્થની પાજ કેણે બંધાવી છે [૨૧] - “તુતિષ' માં આવા બે ઉલ્લેખો મળે છે– (१) “तत्र मया गन्तव्यं वा त्वया इत्यभिहिते राणकेन बीटकमात्तम्।" અર્થાત-“(મહારાજા સિદ્ધરાજે) જ્યારે એમ કહ્યું કે ત્યાં મારે જવું જોઈએ કે તારે જવું જોઈએ ત્યારે રાણકે બીડું ઉપાડયું.” (૨) “નિક સારી વાતા. ૨૭ ઢાકી તો જો જાપ નીતા ” અર્થાત્ “મંત્રીના શરીરે ૧૭ ઘા લાગ્યા (અને) રાણકને તંબુમાં લઈ ગયા.” આ ત્રણે ઉલ્લેખમાં આગળ પાછળ સંબંધ જોતાં રાજ શબ્દ મહામંત્રી ઉદયનના નામના બદલે જ વપરાય છે, એટલે ઉદયનને પર્યાયવાચી ગણી શકાય. વિશેષણ તરીકે વપરાયેલ બાળક શબ્દ પુરાતનકલંપસંદ” પૃ• ૪૦ માંના “લાઈવ વરઝર્વ માં– “રિસ્ટોટિટિતા ત્રાસવો ગતિઃ રાયનસ્ય મનોરથસ્થા” અર્થાત–પત્થરોથી બનાવેલ પ્રાસાદ (શકુનિકાવિહાર ચૈત્ય) તૈયાર થયા અને રાણુક ઉદયનને મને રથ પણ (પાર ૫).” તુતિગર્વધરંદ'માં– " अथ श्रीजयसिंहदेवेन राणक उदयनोऽभिहतः"અર્થાત–“એક વખત સિંહદેવે રાણક ઉદયનને કહ્યું -” વળી પુરાતનવંધક્ષેત્ર માં પૃ૦ ૩૨માં “મંત્રિરચનઝર્વ” માં આશાપલ્લીના સ્વામી તિહુઅણસિંહે પ્રસન્ન થઈ ઉદયનને રાણિમા (રાણકપણું) આપ્યાને આ પ્રમાણે ઉલ્લેખ છે– 'तं भाग्यवन्तं ज्ञात्वा स्वमुद्रा दत्ता भूपेन, राणिमा च ।' અર્થાત “તેને ભાગ્યશાળી જાણીને રાજાએ પોતાની મુદ્રા અને રાશિમા અર્પણ કરી.” આથી પણ એમ લાગે છે કે ઉદયન માટે રાણક શબ્દ વપરાતો હતો તે બરાબર હતું. વળી ‘પ્રવધ” પૃ.૪૮માં, પુરાતનકાંકઃ પૃ૩૯-૪૦-૪૨ માં અને કુમારપાઠમૂવારિક સર્ગ ૯ શ્લોક ૩૬૪ માં મહામાત્ય ઉદયનના પુત્ર અંબાડના નામની સાથે રા, રાબર અથવા જાણ શબ્દ જોડેલે જોવામાં આવે છે. આ બધા ઉલ્લેખ ઉપરથી, તેમજ પ્રાચીન ગ્રંથકારમાંના કેટલાકે બાહડમંત્રીએ પાજ બંધાવ્યાનું જણાવ્યું છે અને કેટલાકે આંબડે પાજ બંધાવ્યાનું લખ્યું છે તે ઉપરથી, વસ્તુપાલ-તેજપાલની જેમ એક ભાઈનું કામ બીજા ભાઈના નામે ચડી જવાની શક્યતા માનીને, છિન તે રાજ એટલે મંત્રી ઉદયન માનવાનું અને તેમ માનવાથી તેના પુત્રઆંબડે ગિરનારની પાજ બંધાવી હોવી જોઈએ એવો નિર્ણય કરવાનું મન થઈ આવે છે. પણ આ નિર્ણય સ્વીકારતાં પહેલાં કેટલાક બાધક વિચાર પણ આવે છે, જેને નિકાલ કર્યા વગર આ નિર્ણય સ્વીકાર ઈષ્ટ નથી લાગતો, જેવા કે – (૧) અને રાળને એક જ માની શકાય એવું કઈ સબળ કારણ નથી મળતું. (૨) ઉદયનસુત બડને ધવલ નામે કઈ ભાઈ ન હતા એ ઈતિહાસથી પુરવાર થયેલી વસ્તુ છે. જ્યારે વિવિધતીર્થ અને “રવંતગિરિરાજુ માં તેના (આંબાકના) ભાઈ ધવલે ગિરનાર ઉપર પરબ બંધાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. “પુતનવંધપ્રદ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60