Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાન મહાવીરની હયાતિ ત્રીશ વર્ષોંની જ છે. એ સયેાગામાં શ્રેણિકના અંત અને ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ વચ્ચે ૨૨ વર્ષીનુ અંતર દાખવનારી પંન્યાસ શ્રી. કલ્યાણવિજયજીનું વિધાન સત્યથી વેગળું જણાય છે, અને તે પ્રમાણુ રહિત પરદેશી મંતવ્યને ટંકા આપવાને ગૂંથેલાં અનેક કાલ્પનિક વિધાનેામાંનુ એક જણુાય છે. એટલે જન ર્દિષ્ટએ પર પરાનુગત મંતવ્યાનુસાર ઇ. સ. પૂ. ૧ર૭ માં ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણુ અને તે જ વર્ષોંમાં મહાવીર સંવત્સરની શરૂઆત; મ. સ. ૬૦ માં નંદુ વંશની શરૂઆત; મ. સ. ૧૪૬ ( ઇ. સ. પૂ. ૩૮૧) માં નવમા નંદના મહામંત્રી શકટાળને વધ અને તેના પુત્ર સ્થૂલિભદ્રની દીક્ષા; મ. સ. ૧૪૮ થી ૧૬૦ લગી મગધમાં ભીષણ દુષ્કાળ; મ. સ. ૧૫૫ ( ઇ. સ. પૂ. ૩૭ર ) માં નંદવંશને અંત અને ચન્દ્રગુપ્તેને રાજ્યાભિષેક; મ. સ. ૧૬૦ માં, ચન્દ્રગુપ્તના સમયમાં, શ્રી ભદ્રબાહુસ્વામી અને શ્રી સ્થૂલિભદ્રના જ્ઞાન–સંચયથી સંચાલિત પાટલીપુત્રનું જૈન સંમેલન; મ. સ. ૧૬૨ (ઇ. સ. પૂ. ૩૬૫)માં ચન્દ્રગુપ્ત દ્વારા સાંચી–સ્તૂપનું બાંધકામ; મ. સ. ૧૭૦ માં શ્રી ભદ્રબાહુસ્વામી અને ચન્દ્રગુપ્તને સ્વર્ગવાસ; મ. સ. ૨૩૭ ( ઇ. સ. પૂ. ૨૯૦ ) માં સપ્રતિ–પ્રિયદર્શીને રાજ્યાભિષેક અને અનુક્રમે મ. સ. ૨૧૫ અને ૨૪૫ માં સપ્રતિના સમકાલીન ગુરુવર્યાં શ્રી આ` માર્ગાિર અને શ્રી આ` સુહસ્તી આચાય યુગ પ્રધાનપદે આદિ જૈન મતબ્જેા અફર રહે છે. અને જ્યારે નીચે જણાવ્યા અનુસાર બૌદ્ધ, પૌરાણિક અને પરદેશી વિધાને પણ તે તે જૈન વિધાનેાના ટેકામાં જ ખડાં રહે છે, ત્યારે તેમની સત્યતા વિષે શંકાને જરાય સ્થાન નથી રહેતું. બૌદ્ધ ગણતરીએ-અજાતશત્રુના રાજ્યાભિષેકને આઠે વર્ષાં વીતતાં ભગવાન બુદ્ધ પરિનિર્વાણુ પામ્યા; તે પછી-મુ. સ. ૧૦૦ માં દ્વિતીય બૌદ્ધ પરિષદ; મુ. સ. ૧૬૨ માં ચન્દ્રગુપ્ત મૌર્યના રાજ્યાભિષેક; જી. સ. ૧૮૬ માં બિન્દુસારને રાજ્યાભિષેક; યુ. સ. ૨૧૮ (ઇ. સ. પૂ. ૩૨૬) માં અશોકના રાજ્યાભિષેક; છુ. સ. ૨૨૪ માં અશોકના પુત્ર મહેન્દ્રની દીક્ષા; મુ. સ. ૨૩૬ માં ત્રીજી બૌદ્ધ પરિષદ; મુ. સ. ૨૪૪ માં અશાકના ગુરુ મહાન બૌદ્ધાચાર્ય મોગલીપુત્ત તિસનું મરણ; અને યુ. સ. ૨૫૫ ( ઇ. સ. પૂ. ૨૮૯)માં અશાકની વિદાય ને સ ંપ્રત્તિને રાજ્યાભિષેક આદિ બૌદ્ધ વિધાને પણ સ ંપ્રતિને સમય ઇ. સ. પૂ. ૨૮૯ માં જ ઠેરવે છે, જે જૈન ગણનાની સાથે સંપૂર્ણ સંગત છે. પૌરાણિક ગણતરીએ—પુરાણામાં જૈન કે બૌદ્ધ ગણુના જેટલી પરસ્પર સંકલિત સળંગ કાલગણના નથી સાંપડતી, પરંતુ નાનાં સે। વર્ષોંના શાસનકાળ પછી ચન્દ્રગુપ્ત મો સિહાંસનના સ્વામી બન્યા એ તે તેઓ ખૂલે જ છે. જૈન બૌદ્ધ કાલગણના પણ તેમના શાસનકાળ ૯૫ થી ૧૦૦ વતા જ આંકે છે. આ રીતે જૈન, બૌદ્ધ અને પૌરાણિક ત્રણે મતથ્યા ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૭૨ લગભગમાં; બિન્દુસારનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૫૬માં; અશાકને રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૨૬ માં અને સંપ્રતિના રાજ્યાભિષેક ઇ. સ. પૃ. ૨૯૦ લગભગમાં મરે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60