Book Title: Jain Dharm Prakash 1906 Pustak 022 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ ઉલટી ભારે થઈ પદ્ધ હતી. કેન્ફરન્સ ભરાવાના દિવસથી ૪ દિવસ અગાઉ વાયુમિત્રને લઈને મેઘરાજાએ કલાક બે કલાક દેખાવ આપે હતો. તેથી મંડપને કેટલુંક નુકશાન પહોચ્યું હતું પરંતુ બાહોશ કાર્યકર્તાઓની પ્રવીણતાથી બે દિવસની અંદર પાછી અસલ સ્થિતિ કરી દેવામાં આવી હતી. પ્રચલિત રિવાજ પ્રમાણે કાર્ય વ્યવસ્થા બરાબર થવા સારૂ કંડકમીટી, પત્રવ્યવહાર કમીટી, ઉતારા કમીટી, ભજન કમીટી, લટીયર કમીટી વિગેરે જુદી જુદી કમીટીએ નીમવામાં આવી હતી. દરેક કમીટીના પ્રમુખ, સેક્રેટરી અને મેમ્બરોએ પોતપોતાને પાયેલું કામ યથાર્થ બજાવ્યું હતું. દ્રવ્ય સંબંધી સહાય દરેક ગૃહસ્થ શક્તિ અનુસાર આપી હતી. તેમાં પણ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા તથા શેઠ જેશંગભાઈ ઝવેરચંદ ગુમાનચ વિશેષ સહાય કરી હતી. કારપેડન્સનું કામ સંતોષકારક ચાલતું હતું. પત્રાના ઉત્તર વખતસર મળી શકતા હતા. ઉતારા કમીટીએ દરેક દેશના ડેલીગેટ માટે ઉતારાની ગોઠવણ સંતેષકારક કરેલી હતી, ભજન કમીટી માટે દરેક ડેલીગેટો સારો સંતોષ જાહેર કરતા હતા. વોલટીયરની સંખ્યા ૨૫૦ ઉપરાંત હતી જેમાં અર્ધો ભાગ બહારગામથી આવેલ હતો. વોલંટીયાએ ડેલીગેટેની કરેલી ભક્તિ ખાસ નોંધ કરવા લાયક છે. બહળેભાગે શ્રીમંતના પુત્ર છતાં તેઓએ ડેલીગેટોને સ્ટેશન પર લેવા જવામાં, તેમને સામાન સાથે ઉતારે પહેચાડવામાં તેમજ તેમના ઓર્ડરને અમલ કરવામાં રાત્રદિવસ સમ્ર ઠંડીના વખતમાં પણ પાછી પાની કરી નથી. આવા ઉત્સાહી યુવકે જ્યારે ડેલીગેટ તરીકે બીરાજવાને ભાગ્યશાળી થશે ત્યારે કોન્ફરન્સનું સ્વરૂપ કેવું દીપી નીકળશે તે અનુભવી જૈનોએ વિચારમાં લેવા છે. જૈન જ્ઞાનાનિધિ પ્રદર્શનમાં પ્રવેશ કરતાં પહેલો જ્ઞાનવિભાગ હતો. તેની અંદર અપૂર્વ અપૂર્વ પ્રાચીન પુસ્તકો તાડપત્ર ઉપર, વસ્ત્ર ઉપર અને કાગળ ઉપર લખેલાં મુકવામાં આવ્યાં હતાં; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38