________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથી જૈન ભવેતાંબર કોન્ફરન્સ. ૨૨ ત્યારબાદ રીતસરનું કામ શરૂ થતાં ત્રણ ઠરાવો વક્તાઓ ત. રફથી અને પાંચ ઠરાવ પ્રમુખસાહેબ તરફથી મુકવામાં આવ્યા હતા. એકંદર ૧૧ ઠરાવે (૧૦માંથી ૨૦મા સુધી) સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા તે નીચે પ્રમાણે.
ઠરાવ ૧૦ મે. (ધામક ખાતાઓના હિસાબ પ્રગટ કરવા સંબંધી )
ધાર્મિક ખાતાના હિસાબો તૈયાર રાખવાથી અને તે પ્રગટ કરવાથી તેની અંદર ગોટાળા વળી શક્તા નથી. આવક પણ વૃદ્ધિ પામે છે, અને વિશ્વાસ વધે છે, તેથી દરેક ધાર્મિક ખાતાના હિસાબ તૈયાર રાખવાની, જે કઈ જેન બંધુ જોવા માગે તેને બતાવવાની તથા તેને છપાવીને પ્રગટ કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે, અને ઠરાવ કરે છે કે જે જે ખાતાઓને હિસાબ દર વર્ષે બહાર પડે તેની કોન્ફરન્સ નોંધ રાખવી, અને તે દરવર્ષે પ્રગટ કરવી કે જેથી તેવી રીતે હિસાબો બહાર પાડવાની બીજાઓને પણ ઈરછા થાય.
આ કાર્ય માટે એક પગારદાર માણસ રાખીને કામ લેવાની જરૂર જણાતાં શેડ ગોકળભાઈ દોલતરામ તરફથી મી. મંગળદાસ છગનલાલે જાહેર કર્યું કે એવું માણસ રાખવાને માટે પાંચ વર્ષ સુધી દર માસે રૂ.૫૦થી ૭૫ સુધી પગાર ખર્ચના આપવાને અમે કબુલ કરીએ છીએ, તે સાથે વિશેષ એમ પણ જાહેર કરવામાં આવ્યું કે પાટણ નિવાસી શા. ચુનીલાલ નાનચંદ પાંચ વર્ષ સુધી વગર પગારે કામ કરવા કબુલ કરે છે. આ પ્રમાણેની હકીકત જાહેર થવાથી કોનફરન્સ તે બંને ગૃહસ્થને ધન્યવાદ આપે છે, અને તે પ્રમાણેના બંને માણસેથી કામ લેવાનું કેન્સર રન્સ દુરસ્ત ધારે છે.
દરખાસ્ત મુકનારા શામેતીચંદ ગીરધરલાલ કાપડીયા બી.એ.એલ.એલ.બી. ભાવનગ૨
અનુમોદન આપનાર. વકીલ નંદલાલ લલુભાઈ પાદરા. પરી. છોટાલાલ ત્રીકમદાસ વીરમગામ
For Private And Personal Use Only