________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાથી જેન તિબર કોન્ફરન્સ. ૧૩ આની પછી એક હોરી નવી બનાવેલી ગાવામાં આવી હતી, તે સ્થળસંકોચના કારણથી અહીં આપવામાં આવી નથી.
કાર્યની શરૂઆત થતાં પ્રમુખસાહેબ તરફથી મુકવાની ચાર દરખાસ્ત મી. ગુલાબચંદજી ઠાએ વાંચી સંભળાવી હતી અને તે સભાજનોએ હર્ષનાદ સાથે એકમતે પસાર કરી હતી. તેમાં પહેલી ને ચાથી દરખાસ્ત સર્વ સભાજનોએ ઉભા થઈને પસાર કરી હતી.
ત્યારપછીની પાંચ દરખાસ્તો જુદા જુદા વક્તાઓ તરફથી મુકવામાં આવી હતી અને તેને જુદા જુદા વક્તાઓએ ટેકો આ
યે હતો. તે દરખાસ્તો પરથી થયેલા પાંચ તથા પ્રથમના ચાર મળી એકંદર નવ ઠ વક્તાનાં નામો સાથે આ નીચે આપવામાં નાવ્યા છે.
ઠરાવ પહેલે. નામદાર પ્રીસ અને પ્રીન્ટસ ઓફ વેકસની આ દેશમાં પધરામણી થવાથી આખા હિંદુસ્થાનના જૈન પ્રતિનિધિઓની પાટણ શહેરમાં મળેલી આ ચેથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ પિતાનો અંતઃકરણનો હર્ષ પ્રદશિત કરે છે અને તેઓ નામદારને વિનંતી કરે છે કે જેન કેમની તાજ પ્રત્યેની વફાદારીની ખબર તેઓ સાહેબ પિતાના નામદાર પિતાશ્રીને જણાવવા મહેરબાની કરશે. - આ ઠરાવને ખબર તારદ્વારા તેઓ નામદાર તરફ મોકલવા.
ઠરાવ બીજે. નામદાર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબના વીસ્તીણ રાજયની શીતળ છાયામાં બીજીવાર આ કોન્ફરન્સ એકડી મળતાં તેઓ સાહેબે ઉદાર દિલથી જે આશ્રય આપે છે તેને માટે આ કોન્ફરન્સ તેઓ સાહેબને અંતઃકરણથી આભાર માને છે.
આ ઠરાવની ખબર તેઓ સાહેબને નામદાર દીવાન સાહેબને જણાવવી.
ડરાવ ત્રીજે. આપણી કોનફરન્સમાં ચારે જનરલ સેક્રેટરીઓએ પોતાના
For Private And Personal Use Only