Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ સંવત ૧૯૪૦માં પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના સમુદાયના ચિંતનશીલ મુનિરાજશ્રી ચંદ્રવિજયજી મ.સા.નો ચાતુર્માસ આપણા ચારિત્ર નાયકના વતન વડોદરામાં થયો. ભૂખ્યાને ભાવતા ભોજન મળે, રણમાંતરસ્યા ભટકતા મુસાફરને મીઠા જળની વીરડી મળે, નેત્રહીનને નવીન આંખો મળે, પ્રીતમને પ્રેયસી મળે ભક્તને ભગવાન મળે... અને જે અલૌકિક પરમ તૃપ્તિદાયક આનંદ થાય એવા અપાર આનંદથીવલ્લભનો મનમયૂર સોળે કળાએ નાચી ઊઠયો. સવાર-સાંજ ઉપાશ્રયમાં જઈ વ્યાખ્યાન સાંભળવા, દિવ્ય સત્સંગનો લાભ લેવો એમને વ્યસનસમાન થઈ પડ્યું. દિન-પ્રતિદિન તેમના અંતરમાં પ્રગટતી પાંગરતીવૈરાગ્ય ભાવનીલતા વધુ પુષ્ટ સઘન થયા લાગી. સંસારથી વિમુખ થવાની તેમની ઈચ્છા બળવત્તર થવા લાગી. દુન્યવીકાર્યો, પ્રવૃત્તિઓ પ્રત્યે દિલમાં ઉદાસીનતા કેળવાવા લાગી. સંસારના સુખોમાં ફિકાશ વર્તાવા લાગી. દિન-રાત પ્યારા પરમાત્માના દર્શનની પ્યાસ તેમના અંતરમાં વ્યાપી ગઈ. જળ વિના માછલી જે રીતે તરફડે એવી હાલત એમના પ્રાણ અનુભવવા લાગ્યા. પશ્ચિમ જગતના વિચારક બટેંડરસેલ એક જગ્યાએ લખે છે કે હવે સમય એવો આવ્યો છે કે લોકો પરમાત્મા વિશે વાર્તાલાપ કરવાનું ટાળે છે. તેનાં અસ્તિત્વ વિષે વાદવિવાદ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે. તેના અંગે ચર્ચાઓ કરવાનું પણ ટાળે છે. પરમાત્માને માની, તેની પૂજા અર્ચના કરી મંદિરે દર્શને જઈ સૌ સંતોષ માની લે છે, પરંતુ સાચા અંત:કરણથી તેની શોધ કરવા, તેને જાણવા કોઈ પ્રયાસ કરતું નથી. પરંતુ આપણા ચરિત્રનાયક આબાબતમાં થોડા નસીબદાર હતા. તેમના ચાર મિત્રોની મંડળીને તત્ત્વજ્ઞાનમાં તથા પરમાત્માની વાતો કરવામાં રસ હતો. આ લોકો એકઠા મળતા ત્યારે સંસારની અસારતા, પરમાત્માની પ્રાપ્તિ, જીવનના હેતુ જેવા ત્યાગપ્રધાન વિષયો પર ભરપેટ ચર્ચા કરતા. આ પણ એક પ્રકારનો સત્સંગ જ હતો. કિશોરાવસ્થામાં ખેલકૂદ, ધીંગામસ્તી, મોજમસ્તી કરવાના દિવસોમાં આ લોકો ફિલસૂફીની વાતો કરતા હતા. સંસારમાં ભૌતિક ઉપલબ્ધિઓ જેવીકે પૈસા કમાવા, સુંદર યુવતી સાથે વિવાહ કરવાં, સારું ભણતર કરી નોકરી મેળવવી, પદપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા, વિદેશગમન કરવાની તક પ્રાપ્ત કરવાની યોજનાઓ આ લોકો બનાવતા નહોતા. આ સત્સંગ કંઈ એળે ગયો નહોતો. આપાગા ચારિત્રનાયક છગનની ત્યાગવૃત્તિને આ સંગતથી પોષણ પ્રાપ્ત થતું હતું. એકવાર તો આસઘળા મિત્રોએ ભેગા મળી, લાંબી ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે એકયોજના ઘડી કાઢી. સૌએ નિર્ધારિત દિવસે ચૂપચાપ કોઈને જાણ ન થાય તેમ ગુપચૂપ ગૃહત્યાગ કરી સાધુ બની જવું. જો કે આ યોજના પાર પડી નહીં, પરંતુ આ યોજના પાછળનો શુભાશય તો જુઓ ! કેટલો ત્યાગપૂર્ણ છે! વૈરાગ્યની પૂરબહાર દિલના સાગરમાં ભરતી ચઢી હોય તો જ વ્યકિત ગૃહત્યાગ કરી સાધુ બનવાનો નિર્ણય લઈ શકે. જોકે છગનભાઈયોજના નિષ્ફળ જતાં ખરેખર થોડા વ્યથિત થયા. શા માટે ? તેમના રોમ રોમમાં વ્યાપેલી ત્યાગની વિરક્તિની ભાવના વસંતોત્સવ મનાવે તે પહેલાં જ પાનખરનો શિકાર થઈ ગઈ હતી. ત્યાગી આત્મકલ્યાણના પથિકની ચિત્તદશા, સાંસારિક લોકો કદી પણ સમજી શકે નહીં. મહાવીર સ્વામીજીને ગૃહત્યાગ કરતા પ્રથમ માતા ત્રિશલાદેવીજીની લાગણી, ત્યારબાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172