Book Title: Guruvar Vijay Vallabh ek Parichay
Author(s): Rashmikant H Joshi
Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ અંગૂલિનિર્દેશથયાનો અહેસાસ થયા સિવાય રહેતો નથી. સંવત ૨૦૦૬ માં પૂજ્ય ગુરુદેવનાણા ગામમાં પધાર્યા હતા. નાણાના તત્કાલીન ઠાકરે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું અને રાજગઢમાં તેમની પધરામણી કરાવી. પૂજ્યશ્રીજીએ તેમને રાજાનો ધર્મ સમજાવતા પ્રજાપાલનના કર્તવ્ય પ્રતિ તેમને જાગૃત કર્યા અને માંસ, મદિરા, શિકાર, જુગટ, પરસ્ત્રીગમન જેવાં સપ્તવ્યસનો ત્યાગવાની આવશ્યકતા સમજાવી. હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપી પૂજ્ય ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. ઠાકુરે તેમને ગોચરી માટે પધારવા હાર્દિક વિનંતી કરી. ઠાકુરના સમર્પણ ભાવ, વિનય વિવેક તથા ભક્તિભાવ જોઈમાણે વિનંતી સ્વીકારી લીધી. બીજા દિવસે સાધુ ભગવંતો સાથે પૂજ્ય ગુરુદેવ ગોચરી માટે ઠાકુરને ત્યાં પધાર્યા. પૂજ્યશ્રીએ ત્યાં ઠાકુર સાહેબ તથા તેમની રાણીઓને માંસ-મદિરા ત્યાગવાનો ઉપદેશ આપ્યો. તપોનિષ્ઠ કરુણાસાગર પૂજ્ય ગુરુદેવના અંતરપટથી પ્રગટેલી એ દિવ્ય વાણીની ગજબ અસર થઈ. એ ચારે રાજવી પરિવારની વ્યક્તિઓએ તત્ક્ષણ ત્યાં જ માંસ મદિરા ત્યાગવાનો સંકલ્પ કર્યો. સી.વોર્ડ કોંગ્રેસ સમિતિ તથા અન્ય સંસ્થાઓના સામૂહિક પ્રયાસોથી તા. ૧૨-૪૧૯૫૩ના દિવસે મુંબઇની લુહાર ચાલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ઉપક્રમે એક સાર્વજનિકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં પૂજ્ય ગુરુદેવે પોતાના વકતવ્યમાં આગવા વિચારો રજૂ કરતા જણાવ્યું હતું... ‘ભાગ્યશાળી આત્માઓ! ધર્મશાસ્ત્રો તો પોકાર પાડી કહે છે કે, મિથ્થા સાધનો તથા અભક્ષ્ય ખાનપાનથી મનુષ્યની દુર્ગતિ થાય છે. આવો વ્યસની માણસ પોતાના શરીરને નુકસાન કરે છે. સાથે સાથે પરિવારનો પણ વિનાશ નોતરે છે. ઉપરાંત સમાજ તથા રાષ્ટ્રનું પણ અહિત જરે છે. કોઈપણ ધર્મશાસ્ત્ર મદ્યપાનની અનુમતિ આપી નથી, કારણ તેનાથી શરીરવ્યાધિગ્રસ્ત થાય છે. માનવી પશુ બની જાય છે. કોઈકોઈતો પાગલ બની જાય છે. તેના ધનની બરબાદી થાય છે. જે ઘરમાં બે ટંક ભોજનના ફાંફા હોય, અંગ ઢાંકવા વસ્ત્રો ન હોય, સારાં વાસણો ન હોય એવા ઘરમાં શરાબ પાન સારુ આઠ આનારૂપિયાની માંગણી થાય તો એ ઘરની કેવી દુર્દશા થાય ? એવા ઘરમાં ગૃહિણી તથા બાળકોની કેવી હાલાકી થતી હશે? રામ, કૃષ્ણ અથવા મહાવીરનું નામ સ્મરણ કરવાનું તો લોકોને સુઝતું નથી, તેનાથી વિપરીત વ્યસનના ગુલામ થઈબરબાદ થવાની આવા લોકોને કુમતિ ક્યાંથી સૂઝે છે? આપણા સૌનો ધર્મ છે, સ્વયંને આ વ્યસનથી બચાવીએ અને આપણા પાડોશી તથા સંબંધીઓને પણ વિનિપાતના માર્ગેથી બચાવી સન્માર્ગે વાળીએ...વ્યસનોના ચક્કરમાં ફસાઈપરિવાર, સમાજ, રાષ્ટ્ર તથા સ્વયંનો નાશ કરવા માટે આપણને મનુષ્ય ભવ મળ્યો છે? આત્મામાં અનંત શક્તિ છે. પાપના મેલને પ્રાયશ્ચિત્ત દ્વારા ધોઈ, આત્મશુદ્ધિ કરી આત્મસિદ્ધિ પામવી એ આપણું પરમ લક્ષ્ય છે. વિદેશીઓ ચાલ્યા ગયા છે. તેમણે જ આપણી સંપત્તિ લૂંટવા તથા શારીરિક શક્તિનો નાશ કરવા આપણા દેશમાં દારૂનાદેત્યનો પ્રવેશ કરાવી તેને ઉછેર્યો છે. એ તો ચાલ્યા ગયા છે, પરંતુ એમની પાછળ રહી ગયેલા એ વિકરાળદૈત્યને પણ પરાસ્ત કરી દેશમાંથી હાંકી કાઢવો એ આપણું કર્તવ્ય છે.” (૩૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172