Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ આટલું યે જ્ઞાન ન હેાય તે ગમાર ગણાતા. મારા સાહિના સાહિત્યના દિગ્દર્શન”માંથી લીધેલું આ અવતરણ આપણી ગુજરાતના હિંદી સાથેના વ્યવહારનું દિગ્દર્શન કરાવે છે. હિંદી પ્રચારને એ તરફથી સારા આશ્રય મળતા. રજવાડામાં ભાટ– ચારણ કવિ વગેરે સારી રીતે પોષાતા. ધણાખરા રાજાએ પણ ભાષામાં પ્રવીણ હતા. રસ, અલંકાર, નાયક—નાયિકાભેદ વિગેરે સંસ્કારી જ્ઞાનને માટે ભાવનગરના વિજયસિંહજી પ્રખ્યાત હતા. જામસાહેબ અને ધ્રાંગધ્રાના માજી રાજસાહેબ તા એ સાહિત્યના જબરા અભ્યાસી હેાઈ પ્રમાણરૂપ મનાતા. શ્રીવલ્લભ–સંપ્રદાયના આગમન સાથે ભાષાની દૃષ્ટિએ વૈષ્ણવાની તરફથી ઉત્તેજન મળ્યું. મદિરામાં સમય સમયનાં કર્તા થતાં, તે પણ ભાષામાં જ થતાં. આ પ્રમાણે સેંકડા વર્ષોથી ગુજરાતમાં હિંદીનેા પ્રચાર હેાવાથી ઘણા માણસા એનાથી પરિચિત હતાં. આવી વસ્તુસ્થિતિમાં ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં કાંઈ ફાળા આપ્યા છે કે નહિ અને આપ્યા છે તા કેટલા એ સંબંધે વિચાર કરતાં ભેગા ભેગા કેટલાક ઉપસ્થિત થતા પ્રશ્નોના સહજ વિચાર કરીએ. હિંદી એ ખેલ આપણી તરફ હમણાંજ વપરાશમાં આવ્યે છે. ઉત્તર હિંદુસ્થાનમાં પ્રાંત પર જુદી જુદી ખેલીએને આપણી તરફ તે ભાષા–વૃજભાષા જ કહેતા. અમે આ લખાણમાં એ જૂના રૂઢ થઈ ગયેલા અમાં ભાષા સારૂ વ્રજભાષા એ નામ જ વાપરીશું. સધળી તરેહની હિંદી જેવી કે તુલસીકૃત રામાયણની, સતસની અને પ્રેમસાગરની એ બધીને સુમમતાની ખાતર વૃજભાષા જ કહીશું. (c પ્રથમ પ્રશ્ન એ છે કે ગુજરાતમાં વ્રજભાષાના અભ્યાસ કેવી રીતે કરાતા ? એ ભાષા શિખવાનાં સાધનાને અભાવે શિખનાર ક્રાઈ જાણીતા વ્રજભાષાના જાણકાર પાસે શિખવા જતા. ત્યાં એમને વિ નંદદાસજીની માનમંજરીથી આર ંભ કરવા પડતા. ગરથ ગાંઠે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72