Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
સંબોધતા તે પરથી એ દાદુ કહેવાયા. “દાદુદયાલ” એમનું નામ ગુણ ઉપરથી પડેલું નામ હતું. એઓ મોટા ઉપદેશક હતા. એમને પંથ “દાદુ પંથ” કહેવાય છે. એમના શિષ્યમાં સુંદરદાસ, રજ્જબ, જનગેપાલ, જગન્નાથ, મોહનદાસ અને ખેમદાસ વગેરે સારા કવિયો થઈ ગયા છે. એમણે પોતાની કવિતા દ્વારા ઈશ્વરભક્તિનો સાર ઉપદેશ કર્યો છે. (૨) મન રે રામ વિના તન છીનવું !
जब यह जाइ मिलइ माटी में तब कहु कइसहि कीजइ ।
पारस परस कैंचन करि लीजइ सहज सुरत सुख दाई ।। (२) अजहुँ न निकसे प्रान कठोर ।
दरसन बिना बहुत दिन बीते सुंदर प्रीतम मोर ॥ चार पहर चारहु जुग बीते रैनि गँवाई भोर । अवध गये अजहूँ नहिं आये कतहुँ रहे चित चोर ।। कंबहू नैन निरखि नहिं देखे मारग चितबत तोर । दादू अइसहि आतुरि बिरहिनि जइसहि चंद चकोर ॥ પુહકર કવિ જાતે કાયસ્થ હતા. અને ગુજરાતમાં કાઠિયાવાડમાં
સોમનાથની પાસેની કઈ જગાના રહીશ હતા. પુર ૧૬૮૧ કહેવાય છે કે જëગીર બાદશાહના સમયમાં
૧૬ ૮૧ માં એઓને કોઈ કારણને લઈને આગરાના કેદખાનામાં નાંખ્યા હતા. કારાગૃહમાં રહૈ રઘે એમણે “રસરતન ” નામે ગ્રંથ બનાવ્યા હતા. આ ઉપરથી પ્રસન્ન થઈ જહાંગીરે એમને છોડી મુકયા હતા. એ ગ્રન્થમાં રેલાવતી અને સુરકુમારની પ્રેમકથા વિસ્તારપૂર્વક વર્ણવી છે. વૃજભાષાને આ ગ્રંથ કંઈ કંઈ
પ્રાકૃત મિશ્રિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com