Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo Author(s): Dahyabhai Pitambardas Derasari Publisher: Gujarat Varnacular Society Ahmedabad View full book textPage 8
________________ ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં આપેલે ફાળે ગુજરાતીઓએ હિંદી સાહિત્યમાં કાંઈ ફાળો આપે છે કે નહિ, અને આપ્યો છે તે કેટલે અને કેવો, એ અંગે વિચાર કરતાં ભેગા ભેગા બીજા કેટલાક પ્રશ્નો પુરી આવે છે. એમની છાણુછાણું કર્યા પૂર્વે ગુજરાતમાંના હિંદીના પ્રચાર તરફ સહેજ દષ્ટિપાત કરીએ, તે જણાય છે કે, પણસો વર્ષ પૂર્વેની જનસમાજની કેળવણીની સ્થિતિ તપાસતાં તે કાળને આપણું “બહુકૃત” માણસે ખસૂસ કરીને વ્રજભાષાનો અભ્યાસ કરતા. શ્રીમદ્ વલ્લભાચાર્યનાં નવ રત્નો પૈકી મહાકવિ નિંદદાસજીની “માનમંજરી” અને “અનેકાર્થમંજરીથી આરંભ કરીને સુંદર શંગાર, કવિપ્રિયા, રસિકપ્રિયા, છંદ શંગાર, ભાષાભૂષણ વિહારીસતસઈ, વૃંદસતસઈ અને જસુરામ રાજનીતિ વગેરે ગ્રંથ શીખાતા. વયેવૃદ્ધ થતાં સુંદરવિલાસ, તુલસીકૃત રામાયણ, યોગવાશિષ્ટ વગેરે વંચાતા. રાજકેટના આગળના એક ઠાકરકુમાર શ્રીમહેરામણસિંહજી અને મિત્રોએ લખેલ પ્રવીણસાગર ઘણે માનનીય ગ્રંથ મનાતે. ભરૂચના વાણીઆ ગૃહસ્થ પિતાની મરણ પામેલી બહેન રતનબાઈની યાદગીરી સારૂ લખેલી “ઉપદેશબાવની ” “કિશનબાવની” પણ મોઢે કરતા. એક ગુજરાતી ગૃહસ્થ (લલુરામજી) લખેલે “પ્રેમસાગર” અદ્યાપિ વ્રજભાષાને શિષ્ટ ગ્રંથ ગણાય છે. હું સંસ્કૃત શીખીને વાતચીતમાં સંસ્કૃત શ્લેક અને ભાષાનાં સુભાષિત બેલવાને રિવાજ હતે. મુત્સદી વર્ગમાં જે માણસમાં આવું અને સંસ્કૃત ભાષાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72