Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 273
________________ આપણા કાન સુધી કાં તો પહોંચતી નથી, કાં કાનના પડદા સાથે અફળાઈને પાછી ફરે છે. ખરું જુઓ તો આપણને આપણા આત્મામાં અને આત્મકલ્યાણમાં લગરીક પણ રસ નથી રહ્યો. એનું જ પરિણામ છે કે ધર્મ કરવા છતાં જ્ઞાનીઓની વાતો આપણા હૈયામાં ઊતરતી નથી, અને સંસારનું પરિભ્રમણ અટકાવવાનું આપણને મન થતું નથી. મૃત્યુ એ આપણા માટે સર્વોપરી દુઃખ છે, અને મૃત્યુ થાય તે સાથે મરનારના સંસારનો અંત આવી ગયો હોય એમ આપણે વર્તીએ છીએ. ભવભ્રમણ અંગેની સમજણ તો જાણે આપણામાં ઊગતી જ નથી ! આમાં ભવભ્રમણનો અંત કેમ આવશે? અને તો ધર્મનું તથા ધર્મ વડે ઉપજતું સુખ પણ કેમ લાધશે ? ચાતુર્માસમાં થતી ધર્મ આરાધનાના પ્રભાવે મોહનીય કર્મો અથવા મોહદશા જરાક આઘીપાછી થાય, અને ઉપર નોંધેલી વાતોનો મર્મ સમજાઈ જાય, એવી આશા રાખીએ. (શ્રાવણ-૨૦૬૫) ચાતુર્માસ

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310