Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ આત્મસાધનાના આ પાવન દિવસો છે. આખાયે જગતમાં જ્યાં જુઓ ત્યાં દેહસાધના અને દેહવાસનાની જ માત્ર છોળો ઉછળી રહી છે, ત્યારે ભગવાન વીતરાગ પરમાત્માનું શાસન જ એકમાત્ર એવું છે, જે આત્મસાધના અને આત્મકલ્યાણની પુનિત પ્રેરણા સતત પાતું રહે છે. એમાં પણ પર્વ પર્યુષણ એ તો કષાયત્યાગનું પનોતું પર્વ છે. ક્રોધને, અહંને, માયાને, લોભને, રાગ અને દ્વેષને, ઈર્ષ્યા અને ધૃણાને અને એવા એવા અગણિત લેશોને હૈયામાંથી ધોઈ નાખવાનું અને બાળીને ખાખ કરી નાખવાનું આ પવિત્ર પર્વ છે. ક્ષમા, સમતા અને ઉપશમભાવની દિવ્ય જ્યોતને હૃદયમાં પ્રજ્વલિત કરવાનું આ મહામૂલું પર્વ છે. ક્રોધ જાગે ત્યારે સમતા ધરો. અહંકાર ઊગે ત્યારે મૂદુતા જાળવો. કપટવૃત્તિ પ્રગટે ત્યારે ઋજુતા-સરળતા દાખવો. લોભવૃત્તિ ઉછાળા મારે ત્યારે સંતોષને આગળ કરો. ધૃણા નહિ, કરુણા, હેમ નહિ, પ્રેમ; એ જ છે આ મહાપર્વનો સંદેશો. જેની સાથે જાણી જોઈને અણબનાવ કર્યો હોય, જેને માટે અછાજતી વાતો કરી હોય, જેના પ્રત્યે કારણ વિના જ અદેખાઈ આચરી હોય, જેને અપશબ્દો સંભળાવ્યા હોય, જેમની સાથે એક યા બીજી રીતે છેતરપિંડી કરી હોય, આવા કોઈપણ કારણસર અન્યને દૂભવ્યા હોય, તે તમામ સાથે આ પર્યુષણમાં સાચા ભાવથી ખમતખામણાં કરજો. શક્ય હોય તો પૌષધ અવશ્ય કરશો. સવાર-સાંજના પ્રતિક્રમણ ચૂકવાં જ નહિ. બને ત્યાં સુધી મૌન પાળવું. યથાશક્ય ઉપવાસ-એકાસણાં કરવાં. કલ્પસૂત્ર તથા બારસાસૂત્રના બધાં વ્યાખ્યાનો સાંભળવાનો આગ્રહ રાખવો. જિનપૂજા ફરજિયાત કરવી. આ બધું તમે કરશો જ એવી શ્રદ્ધા રાખું. (ભાદરવો-૨૦૧૬)

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310