Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 21
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા બાજુથી જમણી બાજુ લખી વાંચી શકાય છે. તેના પછી કિઅ-લુ (કિઅ-લુસે–ખરષ્ઠનું ટંકે રૂપ) છે, જેની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ વાંચી શકાય છે. સૌથી ઓછા મહત્ત્વનો ત્રી છે. જેની લિપિ (ચીની) ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે. બ્રહ્મા અને ખરેઠ ભારતવર્ષમાં થયા છે અને સું–કી ચીનમાં થએલા છે. બ્રહ્મા અને ખરેઠે તેમની લિપિઓ દેવલોકમાંથી મેળવી છે અને સં-કીએ પક્ષી વગેરેનાં પગલાંના ચિહ્ન ઉપરથી તૈયાર કરી છે.' ભારતીય લિપિઓ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મી અને ખરેષ્ઠી એ બે લિપિઓ જ પ્રચલિત (૪) સમાચારની ટીવીમાં આચાર્ય શ્રીઅભચવે નીચે મુજબ જણાવ્યું છે 'तथा 'मि' त्ति ब्राह्मी-आदिदेवस्य भगवतो दुहिता ब्राझी वा-संस्कृतादिभेदा वाणी तामाश्रित्य तेनैव या दर्शिता अक्षरलेखनप्रक्रिया सा ब्राह्मी लिपिः ।' पत्र ३६ । આ ઉલ્લેખમાં એક વાત એ ઉમેરવામાં આવી છે કે બ્રાહ્મી એટલે સંરકૃત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકૂળ લિપિ તે બ્રાહ્મી લિપિ.' (૧) માતeત્રના “નનો ચંમીણ વિસૂત્રની વ્યાખ્યા કરતાં આચાર્ય શ્રીઅભયદેવે જણાવ્યું છે કે 'लिपि:-पुस्तकादावक्षरविन्यासः, सा चाटादशप्रकाराऽपि श्रीमन्नामेयजिनेन स्वसुताया ब्राह्मीनामिकाया दर्शिता ततो ब्राह्मीत्यमिधीयते । आह च-लेहं लिवीविहाणं, जिणेण बेभीइ दाहिणकरेणं ।' इति, अतो ब्राझीति स्वरूपविशेषणं लिपेरिति । पत्र ५। આમાં આચાર્યશ્રી જણાવે છે કે “અહીં “બ્રાહી” એ નામમાં બ્રાહ્મી આદિ અઢારેલિપિઓને સમાવેશ કરવાના છે. સ્વતંત્ર બ્રાહ્મી લિપિ તરીકે આ નામરકાર નથી.' [અહીં પ્રસંગોપાત જણાવવું જોઇએ કે ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિમરણ આચાર્ય શ્રીમાન અભયદેવ પહેલાં અર્થાત વિક્રમની અગીઆરમી સદી પૂર્વે થઈ ચૂક્યું હતું. તે સમયે પ્રાચીન લિપિઓના વાચકે જાણકાર હત તે શ્રીમાન અભયદેવસૂરિને સમયાંતાની ટીમાં અઢાર લિપિઓનું વ્યાખ્યાન કસ્તાં “તત્વ ન રઇમિત્તિ તિમ્ | અર્થાત્ આ લિપિઓનું સ્વરૂપ કયાંય જોયું રહ્યું નથી માટે બતાવ્યું નથી” એમ લખવું ન પડત. આ જ કારણથી કેવળ શાબ્દિક અર્થધટના ખાતર કરેલી ટીકામાંથી નીકળતા આશો ઉપર ખાસ કશું જ ધારણુ રાખી ન શકાય; એટલે અમે માનીએ છીએ કે આચાર્ય શ્રીઅભયદેવ આદિ વ્યાખ્યાકારે એ બ્રાહ્મી, ચવનાની, દેવારિકા, ખરેડી આદિ લિપિઓને બ્રાહ્મી લિપિના ભેદ તરીકે જણાવી છે, પરંતુ વસ્તુતઃ તેમ ન હતાં ફક્ત સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ શ્રી પ્રધાન અઢાર લિપિઓનાં નામોને અથવા પ્રકારે જ એ સંગ્રહ છે. અલબત્ત એ ખરૂં છે કે આ અઢાર નામમાં બ્રાહ્મીલિપિના કેટલાક ભેદને સમાવેશ કરવામાં આવ્યો છે. માવતીસૂત્રના આરંભમાં નમો ઘંમ રિવીણ એમ મૂકવામાં આવ્યું છે એ, જન આગમનું લેખન બ્રાઝીલિપિમાં થએલું હોઈ એની યાદગીરી તરીકે બ્રાઝીલિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે, નહિ કે માત્ર સામાન્ય લિપિ તરીકે.] છ મહારાજ અશક પહેલાના જેન સમવસૂત્રમાં અને તે પછી રચાએલા ચિતવિસ્તારમાં બ્રાશી ને ખરેષ્ઠીસિવાયની બીજી ઘણી લિપિઓનાં નામ મળે છે, પરંતુ તે લિપિઓના કેાઈ શિલાલેખ અત્યાર સુધી મળ્યા નથી. આનું કારણ એમ માનવામાં આવે છે કે એ બધી યે લિપિઓ પ્રાચીન સમયથી જ લુપ્ત થઈ ગઈ હશે અને એ ખધીનુંરથાન બ્રાહ્મી લિપિએ લીધું હશે. અને એ જ કારણે લિપિઓની નામાવલિમાં બ્રાહ્મીલિપિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164