Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 133
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૭ વગેરેના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી, જ્ઞાનભંડાર અને પુસ્તકોને ઉપયોગી સાધન વગેરે હાજર કરવાં આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા અને લીસોટા રહ્યા’ એ કહેવત મુજબ આજકાલ તાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણુંખરાં નાનાંમેટાં નગરમાં થોડાંઘણાં જે કામચલાઉ પુસ્તકે હાથ આવ્યાં તેને આબરથી ચંદરવા-પંઠિયાની વચમાં ગોઠવી તેના અતિસાધારણ પૂજાસત્કારથી જ માત્ર સંતોષ માનવામાં આવે છે. “જ્ઞાનપંચમી' પવેના ઉપરોકત મૌલિક રહસ્ય અને તે દિવસના કર્તવ્યને વિસાવાને કારણે આજ સુધીમાં આપણું સંખ્યાબંધ જ્ઞાનભંડારો ઉધેઈ આદિના ભક્ષ્ય બની ચૂક્યા છે. જ્ઞાનપંચમીને આરંભ કરતુત “જ્ઞાનપંચમી પર્વને આરંભ અમારા અનુમાન મુજબ પુસ્તકખનના આરંભની સાથેસાથે થવાનો સંભવ વધારે છે. એટલે એ પર્વની ઉત્પત્તિ, સ્થવિર આર્ય દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ જેવા પ્રૌઢ અને પ્રતિભાસંપન્ન જૈન સ્થવિરોના વિશાળ દીર્ધદશપણાને જ આભારી છે એમ અમે એ દિવસના ઉદ્દેશ અને વ્યવસાયને ધ્યાનમાં લઈ ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. પારિભાષિક શબ્દ પ્રસ્તુત નિબંધમાં લેખનકળા સાથે સંબંધ ધરાવતાં અનેકવિધ સાધનો અને તેનાં પારિભાષિક નામ વગેરેનો તે તે સ્થળે વિસ્તૃત પરિચય આપ્યા પછી જે કેટલાક ઉપયોગી પારિભાષિક શબદો રહી જાય છે તેમને અહીં પરિચય આપવામાં આવે છે: ૧ હસ્તલિખિત પુસ્તકને ‘પ્રતિ’ નામથી ઓળખવામાં આવે છે. આ “પ્રતિ’ શબદ પ્રતિકૃતિ” શબ્દ ઉપરથી ટુંકાઇને બન્યાનું કહેવામાં આવે છે. ૨ હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા માજીનને “હાંસિયો' કહેવામાં આવે છે અને તેની ઉપરનીચેના ભાગમાં રખાતા માર્જીનને “ જિબ્બા” (ઉં. gિ=g. નિમાત્ર જીભ) તરીકે ઓળખવામાં આ ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક અધ્યયન, સર્ગ, ઉસ વગેરે લખવામાં આવે છે તેને “હુંડી' કહે છે. ૪ ગ્રંથના વિષયાનુક્રમને “બીજક' નામથી ઓળખવામાં આવે છે. ૫ પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત કસંખ્યાને ‘ગ્રંથાચં' કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ લોકસંખ્યાને “સર્ચ' અથવા “સર્વગ્રંથાચં' નામથી ઓળખવામાં આવે છે. ૬ જેન મૂળ આગમો ઉપર રચાએલી ગાથાબદ્ધ ટીકાને નિતિ' કહેવામાં આવે છે. ૭ જૈન મૂળ આગમ અને નિર્યુક્તિ એ બંને ઉપર રચાએલી વિસ્તૃત ગાથાબદ્ધ વ્યાખ્યાને “ભાષ્ય” અને “મહાભાષ્ય' નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર મૂળ આગમ ઉપર નિર્યુક્તિ અને ભાષ્ય હોય એના ઉપર વિસ્તૃત ગાથાબદ્ધ ટીકા રચવામાં આવે છે તેને “મહાભાષ્ય નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર ભાષ્ય અને મહાભાષ્ય સીધી રીતે મૂળ સૂત્ર ઉપર પણ લખવામાં આવે છે. એકંદર રીતે નિર્યુક્તિ, ભાગ્ય અને મહાભાષ્ય એ ગાયાબદ્ધ ટીકાગ્રંથો છે. ૮ મૂળસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય ઉપરની પ્રાકૃત-સંસ્કૃતમિશ્રિત ગદ્યબંધ ટીકાને “ચૂર્ણ અને “વિશેષચૂર્ણ નામથી ઓળખવામાં આવે છે. ૯ જૈન આગમાદિ ચંગે ઉપર જે નાનામોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય છે તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા,

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164