Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 36
________________ છે. જેન ચિત્રકદ્રપદ્રમ કેરી જગ્યાઓ (જુઓ ચિત્ર નં. ૫-૬) રાખતા આવ્યા છે. માત્ર આપણી ચાલુ વીસમી સદીમાં જ આ રિવાજ ગૌણ તેમજ લગભગ અદશ્ય થઈ ગયો છે. “લિખિત કાગળની પ્રતિઓના મધ્યભાગમાં જે ખાલી કોરી જગ્યા જોવામાં આવે છે એ તાડપત્રીય પુસ્તકને દોરાથી પરોવી રાખવાનો રિવાજની યાદગારી ૫ છે.' ગ્રંથિ તાડપત્રીય પુસ્તકમાં દોરો પરોવ્યા પછી તેના બે છેડાની ગાંઠે પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય, તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટી ન હોય તોપણ તાડપત્રીય પ્રતિને દોરાનો કાપ ન પડે તથા પુસ્તકનાં કાણું કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બંને બાજુએ હાથીદાંત, છીપ, નાળીએરની કાચલી, લાકડા વગેરેની બનાવેલી ગોળ ચપટી કૂદડીઓ તેની સાથેના દોરામાં પાવવામાં આવતી. આ ફૂદડીએને “ગ્રંથિ' અથવા “ગાંઠ' કહેવામાં આવે છે. અત્યારે મળતાં મધ્યમ કદની લંબાઇનાં તાડપત્રીય પુસ્તકો પૈકી કેટલાંકની સાથે આ ગ્રંથિ જોવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૫-૬-૭ અને ચિત્ર નં. ૩માં આકૃતિ નં. ૨ ના વચમાં). લિપ્યાસન જેને આપણે ખડીઓ કહીએ છીએ તેનું સૂત્રકારે “લિપ્યાસન” એ નામ આપ્યું છે. લિપ્યાસનનો સીધે અર્થ ‘લિપિનું આસન, એટલે કે જેના ઉપર લિપિ બેસી શકે એટલે થઈ શકે. આ અર્થ મુજબ “લિપ્યાસનને અર્થ તાડપત્ર, કાગળ કે કપડું આદિ થાય, જેના ઉપર લિપિ લખાય છે; પરંતુ આચાર્ય ભલયગિરિએ ટીકામાં ઉત્તરશાસન માગનાર્થ એમ જણાવ્યું છે એટલે આપણે લિપિનું અર્થાત લિપિને દૃશ્ય રૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન” એમ કરીશું તો “લિષ્કાસનનો અર્થ “ખડીઓ થવામાં બાધ નહિ આવે, જે આ સ્થળે વાસ્તવિક રીતે ઘટમાન છે. છંદણ અને સાંકળ ખડીઓ ઉપરના ઢાંકણને સૂત્રકારે છંદણ-છાદણ-ઢાંકણ એ નામથી જણાવેલું છે. ખડીઆને લઇજવા-લાવવામાં કે તે ઠેકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ સારૂ તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. આના સ્થાનમાં અત્યારે આપણે કેટલાક લડીઆઓ અને બાળનિશાળીઆઓને ખડીઓના ગળામાં દોરો બાંધતા જોઈએ છીએ. મણી જે સાધનથી લિપિ—અક્ષર દશ્ય રૂપ ધારણ કરે તેનું નામ “ભષીછે. મળી એટલે શાહી ભષી–મેસ-કાજળ' એ શબ્દ પોતે જ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં પુસ્તકો લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતો હતો. સૂત્રકારે ાિમ મસી, રિમિયાર્દુ અક્ષરા એ ઠેકાણે શાહી અને અક્ષરોને રિટ્ટરત્નમય જણાવેલ છે, એ રિસ્ટરન કાળું હોય છે એટલે આ વિશેષણ જોતાં પણ ઉપરોક્ત હકીકતને ટેકે મળે છે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164