Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 41
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૨૫ તેરમી સદી પહેલાં તાડપત્ર૨૯ તેમજ કપડા ઉપર જ લખાતાં હતાં,—ખાસ કરી તાડપત્ર ઉપર જ, પરંતુ તે પછી કાગળનો પ્રચાર૩૦ વધતાં તાડપત્રનો જમાને ક્રમે ક્રમે કરી સદંતર આથમી ગયો અને એનું સ્થાન કાગળે લીધું. એક તરફથી તાડપત્રની માંધવારી અને તેને મદ્રાસ, બ્રહ્મદેશ ૨૯ પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, પૂના વગેરેના પુસ્તક સંગ્રહે, તેની ટી, રિપોર્ટ આદિ જોયા પછી એમ ખાત્રીપૂર્વક જણાયું છે કે જેન જ્ઞાન ભંડારમાં અત્યારે મળતી તાડપત્રીચ પ્રતિએ –જેના જેના અંતમાં સંવતને ઉલેખ થએલે છે એ બધી,-પિછી એક પણ પ્રતિ વિક્રમની બારમી સદી પહેલાંની લખાએલી નથી. ભા. પ્રા. લિ. પૃ. ૨ ટિ. ૩ માં તાડપત્ર ઉપર લખાએલા સૈથી પ્રાચીન એક રૂટિત નાટકની પ્રતિ મળ્યાની નોંધ આપી છે, જે ઈ. સ. ના બીન સૈકાની આસપાસમાં લખાએલું મનાય છે, ૩૦ ભારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચુકી હતી, તેમ છતાં ભારતવર્ષમાં એને લેખન માટે સાર્વત્રિક પ્રચાર થઈ શકે નહે. આરએ ઈ.સ. ૭૦૪માં સમરકંદ નગર સર કર્યું ત્યારે તેઓ પહેલવહેલાં ૨ અને ચીંથરમાંથી કાગળ બનાવવાનું શીખ્યા, તે પછી તેઓ દમાસ્કસમાં કાગળ બનાવવા લાગ્યા અને ઈ.સ. ની નવમી શતાબ્દી થી એના ઉપર અરબી પુરત લખવાં શરૂ કર્યાં. ઈ.સ.ની બારમી સદીમાં આઓ દ્વારા યુરોપમાં કાગળને પ્રવેશ થયો અને તે પછી પપાયરસ બનવલું બંધ થઈ લખવાના સાધનરૂપે કાગળે મુખ્ય થયા. આ રીતે વિદેશમાં કાગળને પ્રચાર વધવા છતાં ભારતમાં લેખન માટે એને ખાસ પ્રચાર ઘા નહોતા. એ જ કારણથી કાગળ ઉપર લખાએલાં પ્રાચીન પુરત કે અહીંના જ્ઞાનસંગ્રહોમાં કયાંય દેખાતાં નથી. - ભા. પ્રા. લિ. માં કાગળ ઉપર લખાએલા પ્રાચીન ભારતીય લિપિના ચાર સંસ્કૃત ગ્રંથે મધ્ય એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે ૬૦ માઈલ ઉપર આવેલ “કુગિયર’ સ્થાનમાંથી વેબરને મળ્યાનું જણાવ્યું છે, જે ઈ.સ. ની પાંચમી સદીમાં લખાએલા મનાય છે. જેન પ્રશ્ન પુસ્તકલેખન માટે કાગળને કયારથી કામમાં લેવા લાગી એ કહેવું શકય નથી, તેમ છતાં શ્રીમાન જિનમંડન ગણિત કુમારપાત્રપ્રવર્ષ (રચના . ૧૪૯૨) અને શ્રી રનમંદિરમણિકત કરશતનામાં (સાળમે સાથે આવતા ઉલ્લેખે મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રીવાસ્તુપાલે પુરતો લખાવવા માટે કાગળ ઉપર કર્યો હતો. એટલે ગુજરાતની ભૂમિમાં વસતી જેન પ્રજા વિક્રમની બારમી સદી પહેલાંથી ગ્રંથલેખન માટે કાગળોને વાપરતી થઇ ગઈ હતી એમ કહી શકાય. જોકે આજ સુધીમાં કોઈ પણ જૈન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાએલું એક પણ પુરતક ઉપલબ્ધ થયું નથી. જૈન જ્ઞાનભંડારેના અમારા આજ પર્યંતના અવલોકન દરમિયાન ચિદમી સદીના ઉત્તરાર્ધમાં લખાએલું કઇ કઇ પુરત, અમે જેએલું છે, પણ તે પહેલાં લખાએલું એક પણ પુરત કે અમારા જેવામાં આવ્યું નથી. (क) 'एकदा प्रातगुरून् सर्वसाधंश्च वन्दित्वा लेखकशालाविलोकनाय गतः । लेखकाः कागदपत्राणि लिखन्तो दृष्टाः। ततः गुरुपाचे पृच्छा । गुरुभिरूचे-श्रीचौलुक्यदेव! सम्प्रति श्रोताडपत्राणां त्रुटिरस्ति ज्ञानकोशे, अतः कागदपत्रेषु ग्रन्थलेखनमिति ।' कु०प्र० पत्र ९६. (ख) 'श्रीवस्तुपालमन्त्रिणा सौवणेमवीमयाक्षरा एका सिद्धान्तप्रतिलखिता। अपरास्तु श्रीताड. कागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः।' उत० पत्र १४२. પાટણ સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાં વિક્રમ સંવત ૧૨૧૧માં લખાએલી આચાર્ય શ્રી બપ્પભદિકૃત તિવતુંવિંતિકા સરીરની પ્રતિ છે, પરંતુ પ્રતિમાના એ સંવત વિશ્વસનીય માનવો કે નહિ એ માટે અમે પોતે શંકાશીલ છીએ. ૩૧ પાટણના જન જ્ઞાનભંડારમાંથી ચદમી સદીને એક તાડપત્રને ટુકડે મળે છે, જેમાં તાડપત્રના હિસાબની નોંધ કરી છે. તેમાં એક પાનું લગભગ છ અને ૫ડષાનું જણાવ્યું છે. જોકે હમેશને માટે આવી મેધવારી ન હોય એ સહેજે સમજી શકાય છે, તેમ છતાં કયારેક કયારે ઉપરોક્ત પ્રાચીન તાડપત્રીય પાનામાં જણાવ્યા પ્રમાણેની મેઘવારી થઈ જાય એમાં શંકા જેવું નથી.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164