Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 105
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોય છે તે તે અને સૂચવનાર પદે પહેલાં આવી ગએલાં જ હોય છે, એટલે જે ત૨ શબ્દથી જે અર્થ લેવાનો હોય એ બંને પદો ઉપર ગમે તે પ્રકારનું એકસરખું ચિહ્ન કરવામાં આવે છે, જેથી વસ્તુ સ્વયે રપષ્ટ થતાં નકામાં ટિપણે કરવાને શ્રમ બચી જાય છે. આ સિવાય દાર્શેનિક ગ્રંથમાં જ્યાં અમુક વિષયને લક્ષીને લાંબા સંબંધો ચાલુ હેય, એકબીજા દર્શનકારના પક્ષો ઉપર કે જુદાજુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલતી હોય ત્યાં એવાં સંતચિહ્નો કરવામાં આવે છે, જેથી તે તે વિષયની ચર્ચા કર્યાંથી શરૂ થાય છે અને કયાં વિરમે છે એ સમજી શકાય. ઉપર અમે ટૂંકમાં અનેક જાતનાં ચિહ્નોને પરિચય આપે છે. એ ચિઠ્ઠો પૈકીના કેટલાંયે ચિહ્નો અગિયારમી સદીમાં લખાએલાં પ્રાચીન તાડપત્રીય પુસ્તકમાં મળે છે, અને કેટલાંક પ્રાચીન શિલાલે છે અને તામ્રપત્રમાં પણ મળે છે. છેટે, આમાં આપેલાં ચિહ્નો પૈકીનું એવું એક પણ ચિહ્ન નથી જે વિક્રમના સોળમા સૈકા પહેલાનું ન હોય. આ બધાં ચિહ્નો પૈકીનાં ઘણાંખરાં ચિહ્નોને ઉપયોગ ખ્યાલમાં આવી શકે અને એ | મહત્ત્વ સમજાય એ માટે અમે લીંબડીના જૈન જ્ઞાન ભંડારમાંના કાનપરીક્ષા ગ્રંથની પ્રતિના એક પાનાનું પ્રતિબિંબ (ફેટ) આપીએ છીએ (જુઓ ચિત્ર નં. ૧૮). એ પ્રતિ સર્વોત્કૃષ્ટ અને પાંડિત્યપૂર્ણ સંશોધનકળાના આદર્શ નમૂનારૂપ છે. અત્યારના કેટલાક વિદ્વાન જૈન સાધુઓ પિતાના સંશોધનકાર્યમાં ઉપરોકત ચિહ્નોને આજે પણ ઉપયોગ કરે છે. જૈન લેખનકળા, સંશોધનકળા અને તેનાં પ્રાચીન અર્વાચીન સાધન, ચિહ્ન, સંકેત વગેરેને લગતો જેટલો આપી શકાય તેટલો વિશદ પરિચય આપ્યા પછી પ્રસંગવશાત તેની સાથે સંબંધ ધરાવતા (૧) જૈન જ્ઞાનભંડારો અને પુસ્તકલેખન તથા (૨) જૈન પુસ્તકો અને જ્ઞાનભંડારનું સંરક્ષણ, એ બે મુદ્દાઓ વિષે કાંઈક લખવાની અમારી ઇચ્છાને અમે રોકી શકતા નથી. જૈન જ્ઞાનભંડારે અને પુસ્તકલેખન પ્રારંભમાં અમે જણાવી ગયા છીએ કે સ્થવિર આર્ય દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે સંઘસવાય એકત્ર કરી સર્વસમ્મતરીતે શાસ્ત્રલેખન આરંભ કર્યો હતો. એ શાસ્ત્રલેખન પ્રસંગે પુસ્તકલેખનને અંગે શી શી વ્યવસ્થાઓ હશે, કઈ કઈ જાતનાં પુસ્તક લખાયાં હશે, કેટલાં લખાયાં હશે, એ પુસ્તકના લેખક કોણ હશે, પુસ્તકો શાના ઉપર લખાયાં હશે, શાથી લખાયાં હશે, પુસ્તક માટેનાં ઉપકરણોજુદી જુદી જાતનાં સાધને કેવાં હશે, ખવાઈ ગએલાં પુસ્તકો કેમ સાંધવામાં આવતાં હશે, પુસ્તકસંશોધનની પદ્ધતિ, સંકેતો અને તેનાં સાધને કેવા પ્રકારનાં હશે, પુસ્તકોના અંતમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ, પુપિકા વગેરે કેવી રીતે લખાતાં હશે, પુસ્તકસંગ્રહની અભિવૃદ્ધિ અને તેની રક્ષા માટે કેવા ઉપાય યોજવામાં આવ્યા હશે, જ્ઞાનભંડારોને કેવા સ્થાનમાં અને કેવી રીતે રાખતા હશે, એ જ્ઞાનભંડારોની ટી વગેરે કેવા પ્રકારની કરવામાં આવતી હશે, ઈત્યાદિ હકીકત જાણવા માટે તે જમાનામાં લખાએલા જ્ઞાનસંગ્રહો કે તેમને એક પણ અવશેષ આજે આપણી સામે નથી; તેમ છતાં તે જમાનાના પ્રભાવશાળી સમર્થ જૈન સ્થવિર ભિક્ષુઓ, તે જમાનાને સમર્થ ભિક્ષુપાસક જૈન શ્રીસંઘ, સમર્થ

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164