________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૩૫ સાધન. છેવટે આ શબ્દ લખવાના દરેક સાધનના અર્થમાં રૂઢ થઈ ગયો છે. વિસ્તારના લિપિશાલાસંદર્શન પરિવર્તમાં આવતા “વર્ણતિરક' શબ્દને જોયા પછી કેટલાક એમ પણ માની લે છે કે આ વર્ણતિરક શબ્દ ઉપરથી વતરણું શબ્દ ઉત્પન્ન થયા હોય.
જુજવળ પાના ઉપર અથવા યંત્રપટ આદિમાં લીટીઓ દેરવા માટે કલમનો ઉપયોગ કરવામાં આવે તો તેની અણીને થોડી વારમાં જ કૂચો વળી જાય, એટલે લીટીઓ દોરવા માટે જુજવળને ઉપયોગ કરાતો. આ જુળ લોઢાનું બને છે. એનું આગળનું મે ચી વાળીને બનાવેલું હોવાથી એનું નામ યુજવળ, જુજવળ અથવા જુજબળ કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં ૩માં આકૃતિ નં. ૩) યુજવળ આદિ નામે . યુવા શબ્દ ઉપરથી વિત થઈને બનવાને સંભવ વધારે છે. આને શાહીમાં બોળી તે વડે, પાનાની બંને બાજુએ ઓર્ડર માટે તેમજ યંત્રપઢાદિમાં ખાનાં પાડવા માટે લીટીઓ દોરવામાં આવે છે. આ જુજવળ અત્યારે પણ મારવાડમાં બને છે. એનો ઉપયોગ આજ સુધી લહિયાઓ કરતા; પરંતુ ચાલુ વીસમી સદીમાં એનું સ્થાન મુખ્યત્વે કરીને હેડર અને સ્ટીલોએ લીધું છે.
પ્રકાર ચિત્રપટ, યત્રપટ કે પુસ્તક આદિમાં ગોળ આકૃતિઓ દેરવા માટે લોઢાના પ્રાકાર બનતા હતા. આ પ્રાકારો, જે જાતની નાનીમોટી ગાળ આકૃતિ બનાવવાની હોય તે પ્રમાણે નાનામોટા બનાવવામાં આવતા અને અત્યારે પણ એ મારવાડ વગેરેમાં બને છે. આજકાલ આને બદલે વિલાયતી કંપાસથી કામ લેવાય છે, તેમ છતાં મટી ગોળ આકૃતિ કાઢવી હોય ત્યારે આ દેશી પ્રાકાર જેવા સાધનને શોધવા જવું પડે છે. આનું મેટુ પણ જુજવળની જેમ તેમાં શાહી ઝીલાઈ રહે તે માટે ચીપિયાની પેઠે વાળેલું હોય છે. (જુઓ ચિત્ર નં. ૩માં અાકૃતિ નં. ૪) આ સાધનથી, પ્રાકાર-કિલ્લા-ના જેવી ગોળ આકૃતિ કાઢી શકાતી હોવાથી એનું નામ “પ્રાકાર” પડયું હોય એમ લાગે છે. કિલ્લાની રચના એકંદરે ગળપડતી જ હોય છે.
ઓળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ અત્યારે આપણી સમક્ષ જે પ્રાચીન હસ્તલિખિત પુસ્તક વિદ્યમાન છે તેમાં એકધારું સીધી લીટીમાં લખાએલું લખાણ જેમાં ઘણાખરાઓને એમ થાય છે કે આ લખાણ સીધી લીટીમાં શી રીતે લખાતું હશે? એ શંકાનો ઉત્તર આ સાધન–ળિયું આપે છે. એળિયાને મારવાડી લહિયાઓ ફાંટિયું' એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક વ્યુત્પત્યર્થ શો એ સમજાતું નથી. આનું પ્રાચીન નામ “ઓળિયું” જ મળે છે. “એળિયું' શબ્દ સં. શઢિ–ા, મોટી અને ગૂ, શબ્દ “એળ ઉપરથી બન્યો છે. એ-લીટીઓ પાડવાનું સાધન છે “ળિયું'.
આ ળિયું, લાકડાની પાટી ઉપર કે સારા મજબૂત પૂઠા ઉપર જેવા નાનામોટા અક્ષરો