________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા, અથવા લગભગ સીધાં જ લખે છે, જ્યારે બીજા લેખકો કાંઈક વધારે પડતાં ખેંચે છે. આ બધા અવાંતર લિપિભેદેને નહિ જાણનારા લિપિને આધારે સમયનિર્ણયનાં અનુમાન કરવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે.
લિપિનું સૌષ્ઠવ 'अक्षराणि समशीर्षाणि, वर्तुलानि धनानि च । परस्परमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि, वर्तुलानि घनानि च । मात्रासु प्रतिबद्धानि, यो जानाति स लेखकः ॥' 'शीषोपतान् सुसंपूर्णान् , शुभश्रेणिगतान् समान् । अक्षरान् वै लिखेद् यस्तु, लेखकः स वरः स्मृतः॥'
આ શ્લોકો લિપિ અને લેખક એ બંનેયના આદર્શન સૂચક છે. અર્થાત્ અક્ષરો સીધી લીટીમાં ગોળ અને સઘન, હારબંધ છતાં એકબીજાને અડકે નહિ તેવા છૂટાં, તેમજ તેનાં માથાં, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તેવા હોય તે તે “આદર્શ લિપિ” છે; અને આ જાતની લિપિ-અક્ષરો લખી શકે એ જ “આદર્શ લેખક કહી શકાય. જૈન જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કરનારને એમ કહેવાની જરૂરત ભાગ્યે જ હોઈ શકે કે જૈન સંસ્કૃતિએ આદર્શ લેખક અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા કેટલી કાળજી રાખી હતી.
લિપિનું માપ લિપિની સુંદરતાને અંગે ટૂંકમાં જણાવ્યા પછી તેને માટે એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહે છે અને તે તેનું માપ છે. લગભગ વિક્રમની અગિયારમી સદીથી શરૂ કરી આજ સુધીમાં લખાએલાં જે ઢગલાબંધ પુસ્તકો આપણી સામે હાજર છે તે તરફ બારીકાઈથી નજર કરતાં લિપિની સુંદરતાને નિહાળ્યા પછી આપણું ધ્યાન તેમાંના અક્ષરો અને લીટીલીટી વચ્ચેના અંતરના મા૫ તરફ જાય છે. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટીલીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતાં અનુમાને ત્રીજા ભાગનું અથવા કેટલીકવાર તે કરતાં પણ ઓછું રાખતા (જુઓ ચિત્ર નં. ૫-૭-૯-૧૦-૧૧ વગેરે); જ્યારે અત્યારના લેખક અને કેટલાક જૂના લહિયાઓ પણુ અક્ષરનું અને લીટીલીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. આ કારણને લીધે એકસરખી ગણતરીની પંક્તિઓવાળી અને એકસરખા લાંબા પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષરે મેટા જશે, ત્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિમાંના અક્ષરો નાના દેખાશે. ચાલુ વીસમી સદીમાં કેટલાક પ્રાચીન પ્રણાલિનો વારસો ધરાવનારા યતિલેખકો ઉપર જણાવ્યા પ્રમાણે લીટીલીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મેટા માપના અક્ષરો લખતા હોવા છતાં ચાલુ સદીમાં લિપિની એ પ્રથા અને એ વારસે એકંદર અદશ્ય થઈ ચૂકેલાં છે.
અગ્ર માત્રા અને પડિમાત્રા લિપિના માપ સાથે સંબંધ ધરાવતી અઝમાત્રા અને પડિયાત્રાને અંગે અહીં કાંઈક
૬૭ અઝમાત્રા અને ‘ડિમાત્રા' એ શબ્દ પૈકી ‘પડિમાત્રા’ શબ્દસર્વત્ર પ્રચલિત છે, પણ “અઝમાત્રા’ શબ્દ પ્રચલિત નથી. “અગ્રમાત્રા” શબ્દ “ડિમાત્રા' શબ્દના અર્થને લક્ષમાં રાખી અમે ઉપજાવી કાઢે છે. “પડિમાત્રા” શબ્દ કયા શબ્દ ઉપરથી બન્યા છે અને