Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 61
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૪૫ ખરલમાં નાખી દ॰સાકરના પાણી સાથે ખૂબ લૂંટવા. પછી તે હિંગળેાકને ઠરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરેધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળાકનેા લાલાશપડતા શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં કરીથી સાકરનું પાણી નાખી ઘૂંટવા અને ર્યા પછી ઉપર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત્ કરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યું નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે ધેયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવા હિંગળાક તૈયાર થાય છે. ઘણા માટે ાણુ હાય તા આથી પણ વધારે વાર હિંગળાકને ધાવા પડે છે. ઉપર પ્રમાણે ધેાવાઇને સ્વચ્છ થએલા હિંગળાકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને લૂંટતા જવું. બરાબર એકરસ ચયા પછી જે હિંગળાક તૈયાર થાય તેને વડી પાડી સુકવવે, કામ પડે ત્યારે જેવે! જાડા પાતળા રંગ જોઇએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપરવું. આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવત્તું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળાકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં (પાણીઆરામાં અગર પાણીની હવાવાળા ધડામાં) એવડું વાળી સૂકવું. જે તે પાનું એકાએક ન ચાંટે તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને એ ટીકાને સુકાઇ ગયા પછી નખથી ખાતરતાં સહેજમાં ઉખડી જાય તે। ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું. અષ્ટગંધ ૧ અગર ૨ તગર ૩ ગોરોચન ૪ કસ્તૂરી ૫ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠે સુગંધી દ્રવ્યેાના મિશ્રણથી અષ્ટગંધ અને છે. અથવા ૧ કપૂર ૨ કસ્તૂરી ૩ ગારેચન ૪ સંઘરŁ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણુ અષ્ટગંધ બનાવવામાં આવે છે. યક્ષકર્દમ ૧ ચંદન ૨ સર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ મરચર્કાલ ૭ ગેરેચન ૮ હિંગલેક ૯ રતંજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગંધી અને બહુમૂલાં દ્રવ્યેાના મિશ્રણથી યક્ષકર્દમ બને છે. અષ્ટગંધ અને યક્ષમ આ બંનેયના ઉપયાગ મંત્ર-તંત્ર-યંત્રાદિ લખવા માટે થાય છે. ‘મી’ શબ્દના પ્રચાગ ઉપર અમે કાળી, લાલ, સેનેરી, રૂપેરી શાહી બતાવી ગયા, એને આપણે ત્યાં મષી એ નામથી ઓળખવામાં આવે છે. ખરૂં જોતાં મી” શબ્દના વાચ્યાર્ચ મેષ-કાજળ થાય છે, એટલે ૬૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164