Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 215
________________ બીજી જળોજથામાં ન પડશો. એમાં જેટલા ઓછા પડશો, એટલા સુખી થશો. આ મારો છેલ્લો સંદેશ છે. તમારા મનના તમે રાજા છો, પછી જગતમાં કોઈ રાજાથી તમારે ડરવાનું નથી. મેં ભરત-બાહુબલી ખડો કર્યો, પણ એ વિદ્રોહ આત્મદ્રોહ સુધી જવા દીધો નથી; મોટાભાઈ મને માફ કરે ! હું આ ચાલ્યો !” બાહુબલે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. અને આગળ કદમ બઢાવ્યા. માર્ગમાં સૂતેલાં સ્ત્રી-પુરુષો બેઠાં થઈ ગયાં; પણ વળી નવી માંગણી લઈને એ સામે આવ્યાં. સ્ત્રીઓ બોલી : “હે કામદેવ ! આજની રાત રોકાઈ જાઓ, એક રાત્રિની લીલાથી અમારા અંતરને તૃપ્ત કરી લેવા દો !” કેટલીક રસિકાઓ પોતાના ઓષ્ઠ લંબાવતી આગળ આવીને બોલી : “હે પ્રિય રાજવી ! અમારા ઓષ્ઠ પર એક ચુંબન દઈને અમને સદાનાં ઋણી બનાવો !” કેટલીક સ્ત્રીઓ પોતાની દેહવલ્લરી ડોલાવતી આગળ આવીને બોલી : રે! એક આલિંગન અમને આપતા જાઓ. અમે અમારાં ચિત્ત તમારામાં મૂક્યાં હતાં, એથી એ શાંત હતાં. આજ તમારા વિયોગે એ ફરી વિલ થઈ જશે. અમારાં રસતરસ્યાં હૃદય જગતમાં ભમશે, પણ એને ક્યાંય શાંતિ નહિ લાધે, ઓ કામરાજા !” પણ બાહુબલે ન કોઈને સ્પર્શ કર્યો, ન કોઈને આલિંગન આપ્યું. ટેકરી પરથી કોઈ ઝરણું જેમ પોતાના રાહે અને પોતાના વેગે ચાલ્યું જાય, તેમ આખો સમુદાય વીંધીને બાહુબલ ચાલી નીકળ્યા. અયોધ્યા અને તક્ષશિલાનાં નર-નાર એમની પાછળ પાછળ ચાલ્યાં – ચંદ્રની આજુબાજુ તારકગણ ચાલે તેવાં એ ચાલવા લાગ્યાં. સૌ અયોધ્યાનાં મેદાન ને તક્ષશિલાના સીમાપ્રદેશો વટાવતાં ચાલ્યાં. ઠેર ઠેર આક્રદો સંભળાતાં હતાં. ઠેર ઠેર આમંત્રણો અપાતાં હતાં. રત્ન, મણિ, માણેકના ઢગ રચતા કેટલાક પલ્લીવાસીઓ ઠંડી રાતોને ગરમ કરવા પોતાની સુંદર કોમલાંગી પુત્રીઓની ભેટ ધરતા હતા તો કોઈ વળી હાથી અને ઘોડા આપતા હતા. પણ આ તો સૂર્યની ગતિ હતી. સંધ્યા સમયે આખા જગતને પ્રકાશમય ૨00 ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274