Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 234
________________ ૩૧ ભાઈની શોધમાં ચક્રવર્તી ભરતદેવના ભર્યા અન્નભંડારને ભગવાન ઋષભદેવના હજારો સાધુઓમાંથી એક સાધુ પણ ન સ્પર્ધો આ વાતે ભરતદેવના દિલને ભારે દર્દ આપ્યું. રે ! આ ભર્યા સરોવરને શું કરવાનું, જેનું પાણી એકાદ હંસ પણ ન પીએ ? શું પિતાજીએ આ રીતે રાજપદના ભયંકર ભાવિને તો ભાખ્યું નથી ને ? રાજા ગમે તેવો સાવધ રહે, પણ તેને જોખમ તો હજારો પ્રકારનું રહેવાનું જ ! રાજપદની જવાબદારી જ્યાં સુધી વેઠાય ત્યાં સુધી સારી, પછી તો વન સારું રાજાથી નિરર્થર અનર્થો પણ ન જાણે કેટકેટલા થતા હશે ? Jain Education International - સાધુ રાજાનું અન્નરાજનો પિંડ~~ન સ્પર્શે ! રાજપિંડને માંસપિંડ સમાન સમજે. રે રાજવી ! કેવુ તારું હીન ભાગ્ય ! ભરતદેવ આ વ્યથામાં ઘેરાયા હતા, ત્યાં તક્ષશિલાના લોકો આવ્યા અને તેઓએ કહ્યું : ‘અમારા સ્વામી બાહુબલનો પત્તો નથી. અમે ગ્રામ, નગર, વન, ઉપવન, સરોવ૨, દ્રોણી વગેરે તપાસ્યાં, પણ કોઈ ઠેકાણે પગેરું સાંપડતું નથી. અરે, એ શું ખાતા હશે ? શું પીતા હશે ? અમે કેવા નગુણા કે અમે ઉંઘતા રહ્યા અને અમારા સ્વામી અમને તજીને ચાલ્યા ગયા !’ અને આટલું બોલતા તક્ષશિલાવાસીઓની આંખમાંથી ચોધાર આંસુ સરી રહ્યાં. તેઓ ગદ્ગદ કંઠે આગળ બોલ્યાં, ‘ભરતદેવ ! તમારા રાજમાં અમે પૂરેપૂરા સુખી છીએ. અમારાં માતા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274