Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 270
________________ સ્વીકારો સ્વામી આ સલૂણીને !” ને એ સલૂણી અને એના સ્વામી બનેલા ભરતદેવ અભુત વિજયનૃત્ય કરે છે. શું સુંદર નૃત્ય ! શું મનોહરી અભિનય ! વાહ, ભરતદેવ વાહ ! આજ તમારું જડભરતપણે ચાલ્યું ગયું સમજો ! આજે મહારાણીના અલોકિક સૌંદર્યદેહના બાહુપાશમાં બંદીવાન થયે જ છૂટકો ! પડદો ખેંચાય છે. ભરતદેવ અને મહારાણી હાથમાં હાથ નાખી નૃત્ય કરતાં કરતાં અદશ્ય થાય છે. પ્રેક્ષકો તો મંત્રમુગ્ધ જેમ બેઠા રહ્યા છે. હજી તો નાટકનો પૂર્વાર્ધ થયો છે, ઉત્તરાર્ધ બાકી છે ! ઉત્તરાર્ધમાં ‘ભરત-બાહુબલી'ની રચના કરી છે. ભારતદેવ અને બાહુબલના યુદ્ધનું દશ્ય છે. બાહુબલ જેવી સુંદર આકૃતિવાળો પુરુષ ન મળતાં, ખુદ મહારાણી સુભદ્રાદેવી એ વેશ સજવાનાં છે! ફરી શખસ્વર ગુંજી ઊઠે છે. ફરી ભેરીનાદ સંભળાય છે. રંગમંચ પર રાજા બાહુબલ દેખાય છે. રે શું યૌવનનું રૂપ ! શું માનવની મોહિની મુખમુદ્રા ! શું દેહભુજાનું બળ ! પ્રેક્ષકો સાચા બાહુબલનાં જાણે દર્શન કરી રહ્યા. ખરેખર, કામદેવનો અવતાર તે આનું નામ ! પછી ભરતદેવનો દૂત હંસ પ્રવેશે છે. એ બાહુબલને કહે છે : “ભરતદેવ ચક્રવર્તી છે; એમનું શરણ સ્વીકારો !” બાહુબલ પોતાની વિશાળ છાતી ફુલાવીને ગર્વથી કહે છે : “શરણ એનું સ્વીકારાય, જે જરા કે મૃત્યુથી બચાવે. જા, તારા રાજાને પૂછી આવ : છે શક્તિ એનામાં જરા કે મૃત્યુથી રક્ષણ આપવાની ? જે રક્ષણ ન આપી શકે તે રાજા કેવો ?' દૂત પાછો ફરે છે, ને વળી પ્રવેશે છે; કહે છે : અમે બીજું ન સમજીએ ! અયોધ્યાના રાજાની આજ્ઞા સ્વીકારો.' બાહુબલ ગર્જીને બોલ્યા: “આજ્ઞા તમારી સ્વીકારીએ, જો મૃત્યુની આજ્ઞા સામે તમે આજ્ઞા આપી શકો તો ! પૂછી આવ તારા રાજાને.' દૂત પાછો ફરે છે, ને વળી પ્રવેશ કરે છે. તે કહે છે : જીવનનાટક ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274