Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 246
________________ મુનિ બન્યા છે. મુનિમાત્ર શ્રેષ્ઠ છે, પછી ભલે એ વયે નાનો હોય. હું હજી ભાવિ મુનિ અને મારા નાના ભાઈઓ તો જૂના મુનિ ! મુનિસંપ્રદાયનો નિયમ જ છે કે મુનિપણામાં જે મોટો હોય એ ભલે ઉંમરમાં નાનો હોય, પણ નવા મુનિ માટે – ભલે તે વયમાં વૃદ્ધ હોય તોપણ -- વંદનને યોગ્ય છે. ત્યાં તો ગુણની મહત્તા છે, વયની નહિ–” ભગવાન વળી થોભ્યા અને પછી બોલ્યા : બ્રાહ્મી ! બાહુબલને વિચાર થયો કે જો હું પિતાજી પાસે જઈશ, તો મારે મારા નાનાભાઈઓને – જેઓ મારા પહેલાં મુનિ બન્યા છે તેમને -નમસ્કાર કરવા પડશે. રે ! હું મોટો ! એ મારાથી કેમ શક્ય બનશે? અને જો ત્યાં જઈને એ અશક્ય બનશે તો હું અવિનયી ગણાઈશ. અવિનયીને મુનિપણું કેવું ? માટે ન પિતાજી પાસે જવું, ન અવિનયી ઠરવું. અહીં જ સાધનાનો આતશ જગવવો. મન ચંગા તો કથરોટમાં ગંગા. બસ, બાહુબલના પગ એ જ સ્થળે થંભી ગયા. એણે વિચાર્યું કે મારા ભાઈઓને હજી જ્ઞાનોદયની પૂર્ણિમા પ્રગટી નથી; હું જ્ઞાનપૂર્ણિમા પ્રગટાવીને જ ત્યાં જાઉં એટલે નમનવંદનની મુશ્કેલી ટળી જાય !” ભગવાન થોભ્યા. બાળકને દૂધ પિવરાવતી માતા જેમ વચ્ચે વચ્ચે થોભે અને જુએ કે દૂધ બાળકના પેટમાં પૂરું ઊતર્યું કે નહિ, અને પછી જ નવું દૂધ આપે, એમ પ્રભુ પોતાની વાણી લોકોના હૈયામાં પૂરી ઊતરવા દેતા, ને પછી આગળ વધતા. વળી એ બોલ્યા : અને બાહુબલે અડધે રસ્તે થંભી જઈ તપ ઉપાડ્યું. અદ્ભુત ધ્યાન ! અજબ ધારણા ! ગજબની સમાધિ ! આવું તપ, આવું કષ્ટ, આવી ઉત્તમ વિચારસરણી સંસાર પરથી રાગ અને દ્વેષનો સમૂલ ઉચ્છેદ કરે. એના રોમરોમમાં અનાહત નાદ સંભળાય છે. એના દર્શન કરનાર પાપીના પાપ ગળી જાય છે; એની વંદનાથી કાયાનાં કલ્યાણ થઈ જાય છે. બાહુબલની મુખમુદ્રા નિહાળીને એનો દેહવિરાગ જોઈને ઘણાના આ ભવ, પરભવ ઓછા થઈ ગયા. પણ પરને તારનારો ખુદ પોતે આખો સાગર તરી કાંઠે ડૂબી રહ્યો છે ! જ્ઞાનોદયનો પૂર્ણચંદ્ર ઊગું ઊગું થઈને રહી જાય છે. એક જ્ઞાનીની સાધના આ રીતે અટકે એમાં વ્યક્તિના અહિત સાથે સંસારનું પણ અહિત છે, આવા મહાન જીવનો તો સૂરજ છાબડે ઢંકાયો ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274