________________
મુનિ બન્યા છે. મુનિમાત્ર શ્રેષ્ઠ છે, પછી ભલે એ વયે નાનો હોય. હું હજી ભાવિ મુનિ અને મારા નાના ભાઈઓ તો જૂના મુનિ ! મુનિસંપ્રદાયનો નિયમ જ છે કે મુનિપણામાં જે મોટો હોય એ ભલે ઉંમરમાં નાનો હોય, પણ નવા મુનિ માટે – ભલે તે વયમાં વૃદ્ધ હોય તોપણ -- વંદનને યોગ્ય છે. ત્યાં તો ગુણની મહત્તા છે, વયની નહિ–”
ભગવાન વળી થોભ્યા અને પછી બોલ્યા :
બ્રાહ્મી ! બાહુબલને વિચાર થયો કે જો હું પિતાજી પાસે જઈશ, તો મારે મારા નાનાભાઈઓને – જેઓ મારા પહેલાં મુનિ બન્યા છે તેમને -નમસ્કાર કરવા પડશે. રે ! હું મોટો ! એ મારાથી કેમ શક્ય બનશે? અને જો ત્યાં જઈને એ અશક્ય બનશે તો હું અવિનયી ગણાઈશ. અવિનયીને મુનિપણું કેવું ? માટે ન પિતાજી પાસે જવું, ન અવિનયી ઠરવું. અહીં જ સાધનાનો આતશ જગવવો. મન ચંગા તો કથરોટમાં ગંગા. બસ, બાહુબલના પગ એ જ સ્થળે થંભી ગયા. એણે વિચાર્યું કે મારા ભાઈઓને હજી જ્ઞાનોદયની પૂર્ણિમા પ્રગટી નથી; હું જ્ઞાનપૂર્ણિમા પ્રગટાવીને જ ત્યાં જાઉં એટલે નમનવંદનની મુશ્કેલી ટળી જાય !”
ભગવાન થોભ્યા. બાળકને દૂધ પિવરાવતી માતા જેમ વચ્ચે વચ્ચે થોભે અને જુએ કે દૂધ બાળકના પેટમાં પૂરું ઊતર્યું કે નહિ, અને પછી જ નવું દૂધ આપે, એમ પ્રભુ પોતાની વાણી લોકોના હૈયામાં પૂરી ઊતરવા દેતા, ને પછી આગળ વધતા.
વળી એ બોલ્યા :
અને બાહુબલે અડધે રસ્તે થંભી જઈ તપ ઉપાડ્યું. અદ્ભુત ધ્યાન ! અજબ ધારણા ! ગજબની સમાધિ ! આવું તપ, આવું કષ્ટ, આવી ઉત્તમ વિચારસરણી સંસાર પરથી રાગ અને દ્વેષનો સમૂલ ઉચ્છેદ કરે. એના રોમરોમમાં અનાહત નાદ સંભળાય છે. એના દર્શન કરનાર પાપીના પાપ ગળી જાય છે; એની વંદનાથી કાયાનાં કલ્યાણ થઈ જાય છે. બાહુબલની મુખમુદ્રા નિહાળીને એનો દેહવિરાગ જોઈને ઘણાના આ ભવ, પરભવ ઓછા થઈ ગયા. પણ પરને તારનારો ખુદ પોતે આખો સાગર તરી કાંઠે ડૂબી રહ્યો છે ! જ્ઞાનોદયનો પૂર્ણચંદ્ર ઊગું ઊગું થઈને રહી જાય છે. એક જ્ઞાનીની સાધના આ રીતે અટકે એમાં વ્યક્તિના અહિત સાથે સંસારનું પણ અહિત છે, આવા મહાન જીવનો તો
સૂરજ છાબડે ઢંકાયો ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org