________________
સંસારની અમૂલખ દોલત છે. કોઈ વાર પંકિલ જગને ઉદ્ધારશે તો આવા પવિત્ર ત્યાગી આત્મા જ ઉદ્ધારશે.”
‘આ અંગે અમને કંઈ આજ્ઞા છે ?” ચતુર બ્રાહ્મી પોતાને બોલાવવાનું કારણ સમજી ગઈ.
હા, તમે બંને બહેનો સત્વરે એ તરફ જાઓ. અને એ મહાપ્રકાશને આડે રહેલી નાની શી વાદળીને હટાવો. જોજો, મહાયોગીના મહારાજ્યમાં શબ્દોના બહુ ચેડા ન કરશો. એને તો ઇશારો પણ ઘણો થશે.”
ભગવાને પોતાનું કથન સમાપ્ત કર્યું, અને બ્રાહ્મી ને સુંદરી ચાલી નીકળ્યાં.
૨૩૨
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org