Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 250
________________ જોગી ખુદ વિમાસણમાં પડી ગયો છે. કાચું શું છે પોતાની સાધનામાં ? ઓછાશ છે આત્માની શોધમાં? એ શોધી રહ્યો છે, પણ એની એ શોધ, વમળનાં પાણી જેમ, કંડાળે ફરે છે. એ જ વખતે તપેલી ધરતી પર જળની સરવાણી વરસે એમ પેલા શબ્દો આવ્યા : વીરા મોરા રે ગજ થકી હેઠા ઊતરો ! ગજ ચડે કેવળ ન હોય.' અગમ-નિગમમાં રાચતા મહાયોગીએ કાન સરવા કર્યા. અરે ! કોણ સંભળાવે છે આ શબ્દો ? નેત્ર બંધ રાખી, જ્ઞાનનો ઉપયોગ કર્યો. ફરી પાછો એ જ અવાજ સંભળાયો : વીરા મોરા રે ગજ થકી હેઠા ઊતરો! ગજ ચડે કેવળ ન હોય. આ કોણ મને સંબોધીને કહે છે? સંસારમાં હું કોઈનો રહ્યો નથી, કોઈ મારું રહ્યું નથી. હું સચરાચર જગતનો નથી, સચરાચર જગત જાણે હવે મારું નથી. ત્યાં કોણ વીરો ને કોણ વીરી? કોણ ભાઈ ને કોણ બેનડી ? ફરી પાછો એ જ અવાજ આવ્યો–મેઘમાળાના તરંગો જેવો ! અને અવાજ જાણે ગુંજતો ગુંજતો અનંતમાં ભળી ગયો. મેઘ વરસીને, પૃથ્વીને પરિપ્લાવિત કરીને, ચાલ્યા જાય તેમ, બ્રાહ્મી અને સુંદરી આ મહાયોગીને વંદન કરી ચાલી નીકળી. એમના પ્રેમબોલ ત્યાંની હવામાં ઘૂમરીઓ લેવા લાગ્યા. પણ મેઘની વર્ષા કંઈ નકામી જતી નથી; એકાએક સૂકી ધરતી પર હરિયાળી ઊગી નીકળે છે; એવું જ આ મહાયોગીના દિલમાં થયું. એમને તરત ખબર પડી કે આ તો મારી બહેનોનો અવાજ ! બહેનો પણ કેવી ? સંસારનું શીલ અને સત્ય જેનું ઉપનામ પામે તેવી – બ્રાહ્મી અને સુંદરી! સત્યનિષ્ઠ બહેનોએ મને – મહાયોગીને શું કહ્યું? વીરા મોરા રે !' સત્ ચિતુ ને આનંદ જ ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274