SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ભાઈની શોધમાં ચક્રવર્તી ભરતદેવના ભર્યા અન્નભંડારને ભગવાન ઋષભદેવના હજારો સાધુઓમાંથી એક સાધુ પણ ન સ્પર્ધો આ વાતે ભરતદેવના દિલને ભારે દર્દ આપ્યું. રે ! આ ભર્યા સરોવરને શું કરવાનું, જેનું પાણી એકાદ હંસ પણ ન પીએ ? શું પિતાજીએ આ રીતે રાજપદના ભયંકર ભાવિને તો ભાખ્યું નથી ને ? રાજા ગમે તેવો સાવધ રહે, પણ તેને જોખમ તો હજારો પ્રકારનું રહેવાનું જ ! રાજપદની જવાબદારી જ્યાં સુધી વેઠાય ત્યાં સુધી સારી, પછી તો વન સારું રાજાથી નિરર્થર અનર્થો પણ ન જાણે કેટકેટલા થતા હશે ? Jain Education International - સાધુ રાજાનું અન્નરાજનો પિંડ~~ન સ્પર્શે ! રાજપિંડને માંસપિંડ સમાન સમજે. રે રાજવી ! કેવુ તારું હીન ભાગ્ય ! ભરતદેવ આ વ્યથામાં ઘેરાયા હતા, ત્યાં તક્ષશિલાના લોકો આવ્યા અને તેઓએ કહ્યું : ‘અમારા સ્વામી બાહુબલનો પત્તો નથી. અમે ગ્રામ, નગર, વન, ઉપવન, સરોવ૨, દ્રોણી વગેરે તપાસ્યાં, પણ કોઈ ઠેકાણે પગેરું સાંપડતું નથી. અરે, એ શું ખાતા હશે ? શું પીતા હશે ? અમે કેવા નગુણા કે અમે ઉંઘતા રહ્યા અને અમારા સ્વામી અમને તજીને ચાલ્યા ગયા !’ અને આટલું બોલતા તક્ષશિલાવાસીઓની આંખમાંથી ચોધાર આંસુ સરી રહ્યાં. તેઓ ગદ્ગદ કંઠે આગળ બોલ્યાં, ‘ભરતદેવ ! તમારા રાજમાં અમે પૂરેપૂરા સુખી છીએ. અમારાં માતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy