________________
૩૧
ભાઈની શોધમાં
ચક્રવર્તી ભરતદેવના ભર્યા અન્નભંડારને ભગવાન ઋષભદેવના હજારો સાધુઓમાંથી એક સાધુ પણ ન સ્પર્ધો આ વાતે ભરતદેવના દિલને ભારે દર્દ આપ્યું.
રે ! આ ભર્યા સરોવરને શું કરવાનું, જેનું પાણી એકાદ હંસ પણ ન પીએ ? શું પિતાજીએ આ રીતે રાજપદના ભયંકર ભાવિને તો ભાખ્યું નથી ને ? રાજા ગમે તેવો સાવધ રહે, પણ તેને જોખમ તો હજારો પ્રકારનું રહેવાનું જ ! રાજપદની જવાબદારી જ્યાં સુધી વેઠાય ત્યાં સુધી સારી, પછી તો વન સારું રાજાથી નિરર્થર અનર્થો પણ ન જાણે કેટકેટલા થતા હશે ?
Jain Education International
-
સાધુ રાજાનું અન્નરાજનો પિંડ~~ન સ્પર્શે ! રાજપિંડને માંસપિંડ સમાન સમજે. રે રાજવી ! કેવુ તારું હીન ભાગ્ય !
ભરતદેવ આ વ્યથામાં ઘેરાયા હતા, ત્યાં તક્ષશિલાના લોકો આવ્યા અને તેઓએ કહ્યું :
‘અમારા સ્વામી બાહુબલનો પત્તો નથી. અમે ગ્રામ, નગર, વન, ઉપવન, સરોવ૨, દ્રોણી વગેરે તપાસ્યાં, પણ કોઈ ઠેકાણે પગેરું સાંપડતું નથી. અરે, એ શું ખાતા હશે ? શું પીતા હશે ? અમે કેવા નગુણા કે અમે ઉંઘતા રહ્યા અને અમારા સ્વામી અમને તજીને ચાલ્યા ગયા !’ અને આટલું બોલતા તક્ષશિલાવાસીઓની આંખમાંથી ચોધાર આંસુ સરી રહ્યાં. તેઓ ગદ્ગદ કંઠે આગળ બોલ્યાં, ‘ભરતદેવ ! તમારા રાજમાં અમે પૂરેપૂરા સુખી છીએ. અમારાં માતા
For Private & Personal Use Only
www.jainelibrary.org