________________
આજ સહુ મુનિજનોની સેવા-શુશ્રુષા કરીને પુણ્યનો પ્રસાદ મેળવવાની ઉત્કંઠા એના દિલમાં હતી. રસોઈનાં શકટ આવી ગયાં હતાં. ભરતદેવે મુનિજનોને વિનંતી કરી :
પધારો અને અન્નનો અનુગ્રહ કરો !'
અરે, ભરતખંડનો સ્વામી યાચના કરે, એને કોણ પાછી વાળે ?
પણ ભગવાન ઋષભદેવે એ જ સમભાવી સ્વરે કહ્યું :
‘ભરત ! રાજપિંડ સાધુને ન ખપે ! રાજપિંડ અને માંસપિંડ મુનિજનો માટે બરાબર છે.’
ભરતદેવને આ સાંભળી મૂર્છા આવવા જેવું થઈ ગયું. શું પોતે એટલો બધો હીનભાગી કે સામાન્ય મુનિજનો પોતાનું અન્ન પણ ન લે !
રે ! પછી આ રાજપદ શા ખપનું ? રાજા શું યોગીઓથી તિરસ્કૃત ? ભરતદેવના અંતરમાં ધડાકા થઈ રહ્યા.
૨૧૮ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org