SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આજ સહુ મુનિજનોની સેવા-શુશ્રુષા કરીને પુણ્યનો પ્રસાદ મેળવવાની ઉત્કંઠા એના દિલમાં હતી. રસોઈનાં શકટ આવી ગયાં હતાં. ભરતદેવે મુનિજનોને વિનંતી કરી : પધારો અને અન્નનો અનુગ્રહ કરો !' અરે, ભરતખંડનો સ્વામી યાચના કરે, એને કોણ પાછી વાળે ? પણ ભગવાન ઋષભદેવે એ જ સમભાવી સ્વરે કહ્યું : ‘ભરત ! રાજપિંડ સાધુને ન ખપે ! રાજપિંડ અને માંસપિંડ મુનિજનો માટે બરાબર છે.’ ભરતદેવને આ સાંભળી મૂર્છા આવવા જેવું થઈ ગયું. શું પોતે એટલો બધો હીનભાગી કે સામાન્ય મુનિજનો પોતાનું અન્ન પણ ન લે ! રે ! પછી આ રાજપદ શા ખપનું ? રાજા શું યોગીઓથી તિરસ્કૃત ? ભરતદેવના અંતરમાં ધડાકા થઈ રહ્યા. ૨૧૮ * ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy