SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતદેવ નીચાં નયન કરીને સાંભળી રહ્યા. થોડી વારે બોલ્યા : ‘હું રાજમહેલમાં રહું છું, મોજશોખ માણું છું, અને મારા માજણ્યા ભાઈઓ અરણ્યમાં રહે છે, ટાઢ-તડકો વેઠે છે, ક્ષુધાપિપાસા સહે છે. મને શરમ આવે છે, સ્વામી !’ ભગવાન બોલ્યા : ‘આ શરમ તારો ઉદ્ધાર કરશે. બાકી જેણે સંસારની તમા છાંડી એ સંસારનાં સુખદુઃખથી કેમ મૂંઝાય ? અને સુખી કોને કહેવો ? ભોગીને કે ત્યાગીને ? આટલું મેળવ્યા પછી પણ તું સુખી છે, ભરત ?’ ? ‘ના, પ્રભુ !’ ભરતદેવ બોલ્યા, ‘પ્રભુ ! મને કંઈક ઉપદેશ !’ ભગવાન બોલ્યા : ભરત ! બુદ્ધિ અને હૃદયના સંગ્રામમાં બુદ્ધિનો હસ્તી હૃદયની ફૂલવાડીને કચડી ન નાખે, એ સંભાળજે, તો તારું કલ્યાણ છે, જગતનું કલ્યાણ છે. સત્તાના આવેગ સદા એવા ૨ાખજે કે માણસ ભયથી નહિ, સ્વેચ્છાથી શુભ આદરે, સ્વેચ્છાથી અશુભ છાંડે. સાચા રાજપદનો વિજય ત્યારે છે, જ્યારે શસ્ત્ર અને સેના નિરર્થક લાગે. ટૂંકો મારો મંત્ર એ છે, કે ‘ જીવો અને જીવવા દો ! 6 ‘જીવવું સહુને વહાલું છે. ‘જીવ સહુના સમાન છે. ‘આપણું પ્રિય તે સર્વનું પ્રિય. ‘આપણું અપ્રિય તે સર્વનું અપ્રિય ! ‘જેવું કરશો તેવું પામશો. ‘એક બીજાને સમજીને ચાલો.’ ભરતદેવે તૃષાતુર ચાતકની જેમ ભગવાનના મુખની વાણી પીધી. આજ એમનું અંતર હળવું બન્યું હતું. પ્રભુએ મુખેથી એક શબ્દ પણ ઠપકાનો કહ્યો નહોતો, પણ ભરતનું દિલ જાણે સ્વયં પ્રાયશ્ચિત્ત કરી રહ્યું હતું. ઘણે દિવસે આનંદનો દિવસ આજે માણ્યો હતો. Jain Education International આત્મવિલોપનનો મહિમા * ૨૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy