SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ : ભરતદેવ દોડ્યા, દોડ્યા નહિ ઊડ્યા ! ઘણે દિવસે હૈયાને દાબી બેઠેલી વાદળી આજે ખસી ગઈ હતી. મસ્તિષ્કને વાવંટોળ જેવી રાખતી હવા દૂર થઈ હતી. શાંતિ, શાંતિ, શાંતિ ! અનહદ શાંતિ ! મન મોરલાની કળા કરે તેવી શાંતિ ! ભરતદેવ નીલી આમ્રકુંજમાં, અશોકવૃક્ષ નીચે બેઠેલા પિતાજીના ચરણમાં લાંબા થઈને પડ્યા. ભગવાન સ્થિતપ્રજ્ઞ બેઠા છે. મુખારવિંદ પર મહાપાપીનાંય પાપ ગાળી નાખે તેવી કરુણા પથરાયેલી છે. અંધકારમાં પ્રકાશ વેરે તેવું તેજ ફેલાયેલું છે. ભગવાન મૌન હતા, પણ જાણે વાતાવરણ બોલતું હતું. ભગવાનની સમીપમાં જ ભરતદેવના ૯૮ ભાઈઓ મુનિવેષે બેઠા હતા. । આધ્યાત્મિક શાંતિ સહુના ચહેરાને કમળની જેમ પ્રફુલ્લાવી રહી હતી. ભરતદેવે એ સહુને વંદન કર્યાં; વંદન કરતાં કરતાં એમની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યાં. એ બોલ્યા : ‘હે પ્રભુ ! હું અગ્નિ જેવો છું. મારી તૃષ્ણા કદી તૃપ્ત થઈ નથી. ધન્ય છે મારા બાંધવોને, જેઓએ તૃષ્ણા ત્યાગી. પ્રભુ ! આજ્ઞા આપો, હું એમનું રાજ્ય એમને પાછું આપું. તેઓ તે સ્વીકારીને મને ઉપકૃત કરે.’ ભરતદેવના શબ્દોમાં સર્વસ્વ અર્પણની નિશ્ચલતા હતી. ભગવાન હસ્યા ને બોલ્યા, ‘ભરત ! સુખી થા ! સુખનો આધાર લૌકિક વસ્તુઓ પર નથી, જેનું લૂંટાય છે એ ભિખારી થાય છે, અને જે લૂંટે છે એ લૂંટારો કહેવાય છે એવું પણ નથી. તેં આ બધાનાં રાજ્ય લીધાં ન હોત તો એ મુનિઓને આવું અપૂર્વ મુનિપદ ક્યાંથી પ્રાપ્ત થાત ? ‘અને તેઓને તેં લૂંટ્યા ન હોત તો તને તારી લૂંટની અસારતાની ખબર કેમ પડત ? જે જાગતા હોય છે એ—ભલે એ ઘા કરનાર હોય કે ઘા ખાનાર, બંને જીતી જાય છે. મુનિજનો મહારાજ્યના સ્વામી છે. વમન કરેલું રાજ્ય એ કેમ સ્વીકારશે ?’ ૨૧૬ ૨ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy