________________
જેવાં વાદળખંડો રમતાં હતાં. અમીજળથી છલકાતી નદીઓ અને સુગંધી પવન ચારેતરફ વહેતાં હતાં.
ભરતદેવના વજ્જર હૈયા પરથી આજે જાણે વગર છોડ્યું બખ્તરના બંધ છૂટતા હતા. ભારે ભારે લાગતા શ્વાસોશ્વાસ સાવ હળવા થતા હતા.
એ દેખાય ! એ દેખાય !
સૂરજનાં સોનેરી કિરણો જેની પાછળ આભામંડળ રચે છે એવા ભગવાન વૃષભ ધ્વજની મૂર્તિ.....ઓ શિખર પર દેખાય !
ભરતદેવે ગજ પરથી છલાંગ મારી ગિરિરાજની કેડી પર દોટ મૂકી ! ચક્રવર્તી ખુદ દોટ મૂકે, પછી વાહન પર કોણ ચાલે ?
થોડી વારમાં એક પગપાળા યાત્રાળુસંઘ ગિરિ-કેડી પર ઝડપથી આરોહણ કરતો દેખાયો. ભરતદેવ સહુની આગળ હતા.
બંદીજનોએ ચક્રવર્તી દેવનાં ગાન ઉપાડ્યાં હતાં. એ ગાનને થંભાવતાં ચક્રવર્તીએ કહ્યું :
મને શરમાવો મા! ગમે તેવો ચક્રવર્તી રાજા પણ એક ચારિત્ર્યશીલ સાધુ પાસે મસ્તક નમાવવા યોગ્ય છે.
અભિમાનનો ભાર અને સત્તાનો સાર મૂકીને હું નમ્ર સેવકની રીતે પ્રભુના દરબારમાં હાજર થવા માગું છું.
‘ભલા થઈને રાજકીય પ્રપંચોના જયવિજય ગાશો મા !
મરીને જીવનારી મૃત્યુંજય આત્મિક સંસ્કૃતિનો મહિમા વર્ણવો. અંતરનો અજાણ્યો ભાર, જે મનને સદાકાળ કચડી રહ્યો છે, એને અલ્પ કરવા હું તો અહીં આવ્યો છું.
આ દુનિયાનાં મૃગજળ તો જુઓ. જેને સંસાર સુખીમાં સુખી માને છે – એ જગતનો દુઃખીમાં દુઃખી માણસ છે !
“જય ભગવંત ! ભગવાનના દરબારમાં આજ ગુનેગારને વેશે હાજર થવા ઇચ્છું છું.”
આત્મવિલોપનનો મહિમા » ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org