________________
ગયા.
‘હું આવી ત્યારનો વનપાલક બહાર જ ઊભો છે.' સુભદ્રાદેવીએ કહ્યું. ‘અરે ! તો એને તરત જ આમંત્રો !' ભરતદેવ એકદમ ઊભા થઈ સામે
વનપાલક રાહ જોઈને જ ઊભો હતો. એણે અંદર પ્રવેશ કરતાં કહ્યું, ‘ગિરિરાજ પર ભગવાન ઋષભદેવ પધાર્યા છે.’
ચાલો, ચાલો, ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી ! આજ આપણાં મનવાંછિત ફળ્યાં. ચાલો, શીઘ્ર નીકળીએ.' ભરતદેવે બહાર પડેલી ઘંટા વગાડતાં કહ્યું : ‘શીઘ્ર બોલાવો મહામંત્રીને !’
થોડી વારમાં મહામંત્રી આવીને હાજર થયા.
ભરતદેવે તેમને કહ્યું : ‘ગિરિરાજ પર પિતાજી પધાર્યા છે. હું જાઉં છું તમે રસોઈ તૈયાર કરાવી શકટમાં ભરાવીને આવો.’
ભરતદેવે એ ઘડીએ જ ગજ પર આરોહણ કર્યું.
જોતજોતામાં આખે માર્ગે ખબર પહોંચી ગયા, કે ભરતભૂમિના સ્થાપક, કે ચક્રવર્તી ભરત આ રસ્તેથી ભગવાન ઋષભદેવના દર્શને સંચરે છે. સમ્રાટ ભરતને જોવાની સોનેરી તક છે !
આખો માર્ગ જનકુલોથી ઊભરાઈ ગયો. દિશાઓ જય-જયકારથી ભરાઈ
ગઈ.
માનવમેદની સૂર્યનાં દર્શન કરે અને એના તેજથી અંજાઈ જાય, એમ ભરતદેવની પ્રતાપી પ્રતિમાને નીરખી, સહુ એ તેજ-પ્રતાપમાં અંજાઈ જતાં.
કલ્પનામાં તો ભરત ભૂમિના સ્વામીની મૂર્તિ રમતી હતી. આજ ગગનમંડળને ભરી દેતી એ તેજસ્વી પ્રતિમા સદેહે નીરખી.
દૃષ્ટિમાં વીજળીની ચમક, કપાળ પર કાલાગ્નિ જેવી દુર્ધર્ષતા ! ચહેરો દુર્જ઼ય અને રૂપ સ્વપ્નની કોઈ સુંદર દેવ-વ્યક્તિનું ! વાહ રે ભરતભૂમિના સ્વામી !
ગિરિરાજ ડોકિયા; કરતો દેખાતો હતો. સુંદર શિલાગૃહો ને લતાગૃહો મારગમાં પથરાયેલાં હતાં. આરસમટ્યાં ગિરિશિખરો ૫૨ ૨મતિયાળ કન્યાઓ
૨૧૪ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org