________________
પિતાએ તો અમને જન્મ આપ્યો માટે એ અમારાં ઉપકારી, પણ ભરતશાસનમાં તો અમે પ્રવેશમાત્રથી સફળ થઈ ગયાં. અન્નની કમી નથી. પાનની કમી નથી. ન્યાયની કમી નથી. નોધારાનું આધાર આ શાસન છે. પણ ન જાણે કેમ, આ બધું હોવા છતાં, અમને અમારા પ્રાણપ્યારા સ્વામી વગર બધું સૂનું સૂનું લાગે છે.’
આ વિનયવંત પ્રજાજનોને જોઈને ભરતદેવને મનમાં ખૂબ લાગી આવ્યું. માથી વાછરુને વિખૂટ્યાં પાડ્યાંનો એમને અનુભવ થવા લાગ્યો. તક્ષશિલાવાસીઓ આગળ બોલ્યાં :
‘વાદળ જોઈએ છીએ ને અમને અમારો વહાલો સ્વામી યાદ આવે છે. વસંત તો એ વિના સૂની છે. વિહાર કરીએ છીએ, પણ જાણે રસ-કસ નથી. ઊંઘમાંય એ યાદ આવે છે. જાગતાં તો જિવાતું જ નથી. વાટે અને ઘાટે જાણે એ નર્તતો ફરે છે.’
રે, હૈયાના કૂપ તો જુઓ ! રાજકારણી ભૂતે એમાં ઝેર ભેળવ્યાં ! ભરતદેવ પણ ગળગળા થઈ ગયા. વજ કિલ્લો જાણે તૂટું તૂટું થઈ ગયો હતો. એ બોલ્યા,
‘સૂનું તો મને પણ લાગે છે. પણ એનો કોઈ ઉપાય ? પ્રજાજનો ! મારો તો એ પ્રાણપ્યારો બંધુ છે. તમે જાણો છો કે મારે માથે ચક્રવર્તીપદનો બોજ ન હોત તો એનું પગલે પગલું દબાવત અને એનો ચરણકિંકર બની જાત.’
ભરતદેવે પોતાની હૃદયવ્યથા પરથી સહેજ પડદો ઊંચકતાં કહ્યું. આ વાણી હૈયાને આશ્વાસન આપતી લાગી. તક્ષશિલાવાસીઓ કંઈ બોલે તે પહેલાં પોતે આગળ બોલ્યા :
‘નાનાની હોળી નાની, ઝટ બુઝાઈ જાય; પણ મોટાની હોળી મોટી, કેમે ન બુઝાય ! મારો નાનોભાઈ વનમાં ગયો, ત્યા૨થી મારું ધાન્ય ધૂળ થયું છે, નિદ્રા વેરણ થઈ છે, આનંદમાં શોકના પડછાયા ઘૂમે છે. નિર્જીવ ચક્રની જેમ તમારો ચક્રવર્તી ફરે છે. એને હૈયે ચેન નથી. મનમાં આનંદ નથી. તમારી જેમ હું ખુલ્લે મોંએ રડીને હૈયું હળવું કરી શકતો હોત તો કેવું સારું થાત !’
ભરતદેવ અસહાયની જેમ, દિશાઓમાં શૂન્ય દૃષ્ટિ ફેરવી રહ્યા, ને વળી બોલ્યા :
‘આજે પિતાજીએ મારા અન્નનો ત્યાગ કર્યો. એમણે રાજપિંડને માંસપિંડ બતાવ્યો. રાજાનો ધર્મ યોગીનો છે, પણ મને તો મોટાઈ સ્પર્શી ગઈ,
૨૨૦ ૨૦ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org