SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકાર મને ગળી ગયો. ચાલો, શોધમાં નીકળીએ. આમેય અન્ન મારે માટે ખાવું કઠિન બન્યું છે. અરીસાભવનમાં જાઉં છું તો મારું એકેએક પ્રતિબિંબ મને ફિટકાર આપે છે. નગર અરણ્ય જેવું ભાસે છે. આજે પ્રતિજ્ઞા કરું છું કે ભાઈના ચ૨ણને સ્પર્શ કર્યા વગર, એના ચરણને અશ્રુજળથી પખાળ્યા વગર ભોજન મારે માટે અધર્મ છે,’ ભરતદેવે પ્રતિજ્ઞા લઈ લીધી. તક્ષશિલાવાસીઓ આજે ભરતદેવના દરિયાવદિલને પૂરેપૂરું ઓળખી શક્યા. અરે ! માણસ વ્યવહારમાં વજ્ર જેવો કઠોર હોય, પણ અંતરમાં ઝરણ જેવો નિર્મળ હોય છે. બાહ્ય વર્તાવ પરથી માણસનાં મૂલ કરવાં અઘરાં ને અધૂરાં છે. ‘અમો પણ સ્વામીનાં દર્શન કર્યા પછી જ અન્ન લઈશું.' બધાં બોલી ઊઠ્યાં. પ્રભુદર્શન, પ્રભુવચનશ્રવણ, પ્રભુપ†પાસના પૂરી કરી બધા બાહુબલની શોધમાં ઊપડ્યા. મંદગતિ આજે ગુનો બન્યો હતો. ધીમું કોઈ ચાલતું નહોતું. ચક્રવર્તી પ્રારંભમાં હસ્તી પર હતા, પછી અશ્વ પર આવ્યા. જનસમૂહ વગડાઓ વીંધતો આગળ ચાલ્યો. પ્રત્યેક યોજને પડાવ પડતો, અને પછી બધા શેષનાગની જેમ હાથમાં મણિ(પ્રકાશનું સાધન) લઈ બાર બાર યોજનનો પ્રદેશ ફેંદી વળતા. કોઈ ગુફા, કોઈ કંદરા, કોઈ પહાડ, કોઈ ખીણ ! રે ! કોઈ બાહુબલને બતાવો. કોઈ નદીતટ, કોઈ સરોવરકાંઠો ! કોઈ બેટ, કોઈ દ્વીપ ! ખૂણેખૂણો માનવીના પગથી ખૂંદાઈ ગયો, પણ બાહુબલ ક્યાંય ન મળ્યા ! દિવસો વીતતા ચાલ્યા ! રે કોઈ કામદેવને બતાવો ! અન્નનો દાણો મોંમાં મૂકવો કેવો ? છતાં નિરાશા કે ખેદ ક્યાંય જોવાતાં નથી. આ શોધકમંડળ યાત્રાળુઓનો એક સંઘ બની ગયું. તેઓ જ્યાં વિરામ લેવા થોભતા ત્યાં ભગવાન ઋષભદેવના સમાજોદ્ધારની, રાજસ્થાપનાની અને રાજત્યાગની વાતો કરતા. ખુદ ભરતદેવ તો નાટ્યશાસ્ત્રના જ્ઞાતા હતા. એમણે ભરતબાહુબલ– યુદ્ધનું નાટક બનાવ્યું હતું, ને પડાવના સ્થળે રાત્રે રાત્રે એ ભજવાતું ! ભાઈની શોધમાં * ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy