________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રકાશ. ૨૨ ચાર, વ્યભિચારી, ધર્મદ્રોહી ને રાજદ્રોહીથી દૂર રહેવામાં જ મજા છે; અન્યથા ખુવારી છે.
૨૩ અનેક યુદ્ધમાં જીત મેળવનાર યોદ્ધા કરતાં મન ઉપર જીત મેળવનાર માટે દ્રો છે. - ૨૪ શ્રીમંતેને ત્યાગીઓને સંતોષમાં જે સુખ મળી શકે તે સુખ બીજી ચીજમાં મળતું નથી.
૨૫ ધનમાં, મજશોખમાં અને ખાવાપીવામાં સંતોષ રાખ સારે, પણ જ્ઞાન-દાન અને ધર્મઅભ્યાસમાં તે જેમ બને તેમ વધારે કરાય તેમાં લાભ છે.
૨૬ જેનાથી દુઃખ માટે તેની જ પાસે હદય ખેલવું. જેની તેની પાસે હૃદય ખેલવાથી હલકાઈ થાય છે. - ર૭ અફીણ કરતાં કરજ ભૂંડું. અફીણ ખાનારને જ મારે ત્યારે કરજ તેના વંશને મારે છે.
૨૮ ઉત્તમ પુસ્તકે સત્સંગ જેવું કામ કરે છે ત્યારે ખરાબ પુસ્તક સત્સંગની અસર ભૂંસી નાંખે છે.
૨૯ ધર્મનું મૂળ વિનય છે. ખરા દિલથી વધલે, સજજને અને ગુરુજનેને વિનય સાચવે. - ૩૦ ઉપગારીનો ઉપગાર ભૂલી જનારમાં માણસાઈને ગુણ રહી શક્ત નથી. અરે! પશુઓ પણ ઉપકારને બદલે વાળે છે તે બુદ્ધિમાન માણસેએ એને ભૂલ કેમ જોઈએ ? - ૩૧ જે તમારે પવિત્ર જીવન ગુજારવું જ હોય તે અંતઃકરણને પવિત્ર કરવા પૂરતે પ્રયત્ન કરે.
૩૨ પરમાત્મા પરમપવિત્ર પ્રભુને મેળવવા તમારે પણ ખુલ્લા હૃદયના નિષ્કપટી અને પવિત્ર થવું જોઈએ. “રંજન ધાતુ મેલાપ.” “કપટ રહિત થઈ આતમ અરપણે રે.”
૩૩ સત્ય વ્રત સર્વથી ઉત્તમ વ્રત છે. એકવાર પણ જુઠું બોલવાથી પ્રમા ણિકપણામાં ખામી આવે છે.
૩૪ બધા મનુષ્ય આપણું વિચારનાં કયાંથી થાય વિશાળ દિલના થઈ સહુ સાથે નિભાવી લેવું ઘટે.
For Private And Personal Use Only