________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
(૨) સરકારી શોધખોળખાતામાં જેનોના શિલ્પશાસ્ત્રના જ્ઞાતાને નિયુકત કરાવવો અને તેમ ન થાય તે જેન શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી પ્રાચીન તત્વોની જ શોધખોળ કર્યા કરે એ સરકારી અધિકારી રહે તે માટે સરકાર સાથે ગોઠવણ કરવી
(૩) જુના જૈન ખંડેર કે દટાયેલાં સ્થાનોમાં ખોદકામ કરાવવા માટે સરકાર સાથે ગોઠવણ કરવી.
(૪) તીર્થ સંબંધી જે જે એતિહાસિક પ્રમાણે, ગ્રંથ કે ગ્રંથના અમુક ભાગે હેય તેના નકશાઓનો સંગ્રહ કરી છપાવ, તેમાં તીર્થોના ફોટા લેવરાવી બ્લોક કરાવી મુકવા.
(૫) હાલ અસ્તિત્વ ધરાવતા હજારે બિંબ પરના શિલાલેખ, મંદિરના શિલાલેખો વગેરેના રબિંગ (પ્રતિકૃતિ ) લેવરાવી સંગ્રહવા અને તે સર્વને એકત્રિત કરી છપાવવા.
(૬) તીર્થો સાથે જોવા યોગ્ય સ્થળે, ધર્મશાળાઓ વિગેરે હોય તેની માહીતી તેમજ તેમાં મરામત કરવા જેવું, જુદા જુદા સુધારા કરવા જેવું, સંઘ તરફથી કઈ જાતની મદદની અપેક્ષા છે તે પણ તેને તીર્થોના ભોમીયાના પુસ્તકમાં જણાવવું.
(૭) શધકામ કરતાં અથવા બીજી રીતે કોઈ જિનપ્રતિમાઓ અથવા જેને પ્રાચીન અવશેષ, સ્મારક વિગેરે મળી આવે તેનો કબજો લેવા યોગ્ય પ્રબંધ કરવો. (૪) બેકારીના ઉપાય
હાલની વેપારની મંદી, ઘાણાઓને રછ યા નોકરીનો અભાવ, સરકારની કૃત્રિમ હુંડીઆમણની પદ્ધતિ, કરેપર કરો વધતા જતાં પડતા બે વગેરેથી દેશની ઘણી ગરીબ અને લાચાર સ્થિતિ થઈ છે અને તેથી સર્વ કામનાને ખમવું પડયું છે, બેકારી વધી ગઈ છે અને મોટી સંખ્યાવાળા મધ્યમ વર્ગની દયાજનક સ્થિતિ થઈ છે તે –
(૧) દરેક જૈનને નોકરી કરતાં નવા ઉદ્યોગ, વેપાર, ધંધામાં પાડવાની અને તેમ તે કરે તેને ટેકો આપવાની આગેવાની ફરજ છે. મહાપારી શ્રીમંત જેનેએ રોજના વધુ સાધને, નવા ઉદ્યોગ અને નવી જગ્યાઓ ઉઘાડવાની, કાર્ય–ગૃહ, ઉદ્યોગ-ગૃહ સ્થાપવાની
(૨) દાનની પ્રણાલિકા બદલવાની આવશ્યકતા છે. ઉજમણું વખતે થતાં જમણે, નવકારસીના જમણ, નાતજમણમાં ખવરાવવા વગેરેમાં ધન વપરાય છે તે ક્ષણિક ને અલ્પ પુષ્ટિ આપે છે તો જેથી ગરીબ કાયમ અને મહાન સહાય મેળવી પિતાની સ્થિતિ ઉચ્ચ કરી શકે તેવી યોજનામાં પિતાનાં તેમજ સામાજિક ધનનો વ્યય વધુ જીવનદાયક અને પિષક થશે.
(૩) જેનોની માલકીની પેઢીઓ, મિલો, કારખાના અને દેરાસરો, સંસ્થાઓ યોગ્ય અને પાત્ર જેને કામે લગાડવામાં–નોકરીએ રાખવામાં પ્રથમ લક્ષ આપશે.
(૪) જૈન દેરાસર કે મંદિરમાં અને બીજી ધાર્મિક સંસ્થાઓમાં વહીવટદાર, મહેતાજી, પુજારીની અથવા બીજી જગ્યાએ યોગ્ય જેનેની જ નિમણુંક કરવી ઇષ્ટ છે, અને
For Private And Personal Use Only