________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૨
શ્રી આત્માનંદ પ્રકાશ. માટે યુરોપીય વિદ્વાને મીસ કૅઝ, શબીજ સાહેબ અને શ્રી ગાયકવાડ સરકારના સેન્ટ્રલ લાઈબ્રેરીના કયુરેટર સાહેબ મોતીભાઈ અમીન વગેરે તેમજ અનેક સંસ્થા અને જાહેર પુરૂષોએ ઉંચા અભિપ્રાય આપેલ છે. આ શહેરમાં તેવી લાઈબ્રેરી બીજી નથી.
સં. ૧૯૮૭ ના આસો વદ ૩૦ સુધીમાં સાત વર્ગોમાં કુલ પુસ્તકે ૭૭૯૪) રૂા. ૧૨૮૨૬–૧-૦ ના હતા, જેમાં ગઇ સાલની આખર સુધીમાં રૂા. ૫૧૮-૯-૦ ના પુસ્તકે ૩૩ ને વધારો થતાં કુલ પુસ્તકો ૮૧૩૮ રૂા ૧૩૩૪૪-૧૦-૦ ના થયાં છે.
જ્ઞાનદ્વાર ખાતું-સાહિત્ય પ્રકાશન ખાતું –
ચાર પ્રકારે સાહિત્યવૃદ્ધિ-પુસ્તક પ્રકાશન ખાતું સભા કરે છે. (૧) સંસ્કૃત-માગધી ગ્રંથ (૨) ગુજરાતી ભાષાના પ્રથે, (૩) પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી ઐતિહાસિક ગ્રંથમાળા (૪) શ્રી સીરીઝ ખાતું, ( અને સાધુ-સાધ્વી મહારાજ તથા જ્ઞાનભંડારને ખાસ ભેટ માટેનું. ).
સભા તરફથી પ્રકટ થતા ગ્રંથે (સહાય મળી હોય તો) સંસ્કૃત–માગધી અડધી કિંમતે, ગુજરાતી ગ્રંથ મુદ્દલ કિંમતે, સીરીઝના ગ્રંથો ધારા પ્રમાણેની કિંમતે મંગાવનારને અપાય છે. સંસ્કૃતના ખપી લાઈફ મેમ્બરો અને પેટ્રન સાહેબે મંગાવે તેને અને ગુજરાતી ભાષાના તથા સીરીઝના ગ્રંથો ધારા-ધોરણ પ્રમાણે બધા લાઈફ મેમ્બરોને ભેટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં શુમારે દેઢ ગ્રંથે લાઈફ મેમ્બરને ભેટ અપાયા છે.
ઉપર બતાવેલા ચારે પ્રકારના ગ્રંથે મળી અત્યારસુધીમાં રૂ. ૧૮૮૪૭) ના ગ્રંથે, સાધુ સાધ્વી મહારાજ તેમજ અન્ય સંસ્થાઓ, જ્ઞાનભંડારો વગેરેને ભેટ અપાયેલા છે. લાઇફ મેમ્બરને અત્યાર સુધીમાં અપાયેલ ગ્રંથની થતી મોટી રકમ તે જુદી છે. અમારા ધારવા પ્રમાણે હિંદુસ્તાનની કોઈ પણ જૈન સંસ્થાએ આટલો મોટો પ્રચાર અને ભેટનું કાર્યો કરેલ નથી. તે થવાનું કારણ ગુરૂકૃપા છે.
- સં. ૧૯૮૮ ની આખર સાલ સુધી સંસ્કૃત-માગધી ૮૧, ગુજરાતી ૬૪ તથા એતિ હાસિક ૭ મળી કુલ ૧૫૨) ગ્રંથે આ સભા તરફથી પ્રકટ થઈ ગયા છે. આ કાર્ય સતત
યા કરે છે. સીરીઝનું કાર્ય સભાએ હાથ ધરતાં રૂા. એક હજાર આપનાર બંધુના નામથી ઉત્તરોત્તર ગ્રંથ પ્રકટ થતાં હોવાથી, જ્ઞાનોદ્ધાર સાથે આત્મક૯યાણ પણ થતું હોવાથી તે રીતની રકમ અત્યાર સુધીમાં તેર ગૃહસ્થા તરફથી મળી છે અને આ લાભ દર વર્ષે નવા જૈન બંધુઓ સાહિત્ય પ્રકાશન માટે સભાને તેવી રકમ આપી લાભ લેવા ઉત્સુક બને છે. અનેક ગ્રંથે સીરીઝ તરીકે પ્રગટ થયેલા છે. સભાને મળતી મદદથી અનેક ઉત્તમોત્તમ ગ્રંથે પ્રસિદ્ધ થતાં હોવાથી અનેક ગ્રહસ્થા તરફથી તે લાભ સભાને મળે છે અને સાહિત્ય વૃદ્ધિ થાય છે. અને થોડા વખતમાં સસ્તુ જૈન સાહિત્ય અને બહોળો પ્રચાર અલ્પ કિંમતે સભા કરી શકશે તે નિઃસંદેહ વાત છે.
કેળવણીને ઉત્તેજના-દરેક વર્ષે રૂ. ૨૫) સ્ક્રોલરશીપ તરીકે, રૂ. ૧૨૫) શ્રી ઉજમબાઈ જૈન કન્યાશાળાને મદદના મળી શુમારે ચારસેંહ રૂપીયા અપાય છે. અનુકૂળતાએ વિશેષ આપવા સભાની શુભ આકાંક્ષા છે.
For Private And Personal Use Only