________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સભાની વર્તમાન સ્થિતિ.
૨૭૧
આ સભાની વર્તમાન સ્થિતિ.
ગયા બે વર્ષમાં સભાએ શું પ્રગતિ કરી તેની ટુંક નોંધ આ નીચે આપીએ છીએ. આ રીતે સભાની કાર્યવાહીનું સંક્ષિપ્ત વર્ણન આપવાથી આ સભાના દરેક સભાસદ બંધુઓ, સભા ઉપર પ્રેમ ધરાવનાર ભાઈઓ અને હિતેચ્છુઓ વગેરેને જાણ થતાં હવે પછીના માટે સભાની ઉન્નતિ માટે કંઇ સલાહ-સૂચના કે વિચાર તેઓશ્રી જણાવી શકે તેવા હેતુથી જ આવી રીતે ટુંક નેધ અપાય છે.
આ સભાને સ્થાપન થયાં આજે આડત્રીસ વર્ષ થયાં છે. નિમિત્ત ગુરૂભકિત આત્મિક કલ્યાણું અને ધાર્મિક સેવા જ છે. તેના ચાલતા ઉદ્દેશ પ્રમાણે સભા કાર્ય કર્યું જાય છે. કુલ સભાસદો—
૧ આ સભાના ચાર વર્ગમાં થઈ ૩) પેટ્રન સાહેબ, ૧૧૧) પહેલા વર્ગના લાઈફ મેમ્બરે, ૨૧૯ બીજા વર્ગના લાઈફ મેમ્બર, ૧૨) ત્રીજા વર્ગના લાઈફ મેમ્બલી, ૩૬) પહેલા વર્ગના વાર્ષિક મેમ્બર અને ૯) બીજા વર્ગના વાર્ષિક મેમ્બરો મળી ૩૯૦) કુલ સભાસદો હતા. ગયા બે વર્ષમાં કેટલાકને વધારે, થયે, કેટલાક સ્વર્ગવાસ પામ્યા, કેટલાક કમી થયા જેથી ગઈ સાલની આખર સુધી ૩૮૩) છે. તેમાં બે પેટ્રન સાહેબ, ૧૦૮) પહેલા વર્ગના લાઈફ મેમ્બરે, રર૬) બીજા વર્ગના લાઈફ મેમ્બરે, ૧૨) ત્રીજા વર્ગના લાઈફ મેમ્બર, ૨૭) પહેલા વર્ગના વાર્ષિક મેમ્બર અને ૮ બીજા વર્ગને વાર્ષિક મેમ્બરે ભાવનગર અને બહારગામના મળીને છે. નવા સભાસદો થાય તેના નામો આત્માનંદ પ્રકાશમાં તરત જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સભામાં જે જે લાઈફ મેમ્બરની જે જે ફી (લવાજમ) છે તે જ લઈને તે જ વર્ગમાં દાખલ કરવામાં આવે છે, અને લાઈક મેઅરને ભેટના પુષ્કળ સારાં સારાં ગ્રંથાનો લાભ અત્યાર સુધી કોઈ પણ બદલો લીધા સિવાય ધારા પ્રમાણે પુષ્કળ અપાયો છે અપાય છે તે તે અમારા માનવંતા સભાસદોને સુવિદિત છે. ત્રીજા વર્ગના લાઇફ મેમ્બર અને બીજા વર્ગના વાર્ષિક મેમ્બરને વર્ગ કેટલાક વખતથી કમી થએલ છે. લાઇબ્રેરી કી-વાંચનાલય
આ વાંચનાલયમાં સાત વર્ગો છે. શુમારે આઠ હજાર ધાર્મિક, નૈતિક, નોવેલ, સંસ્કૃત, અંગ્રેજી અને ધાર્મિક આગમો મળી ગ્રંથ છે. લખેલી પ્રતેને ભંડાર જે ૫૦૦) ની સંખ્યામાં છે તે જુદો છે, તથા ૫૬ ન્યૂસપેપરે ડેઈલી, વિક્લી, માસિક વગેરે વગેરે સારા સારા આવે છે. જેન અને જેનેતર ભાઇએ સારા પ્રમાણમાં લાભ લે છે. કક્કાવારી પ્રમાણે વાંચકોની સુગમતા ખાતર તમામ બુકોનું લીસ્ટ છપાવેલ છે. લાઇબ્રેરીની સુવ્યવસ્થા
For Private And Personal Use Only