________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
શ્રી આત્માનંદ પ્રકાશ.
બરાબર જ્ઞાન પ્રસરે એ જરૂરનું છે તેથી તેનું જ્ઞાન આપવા માટે સીનેમા, લેટર્ન લેકચર્સ અને ભાષણે યોજવા તથા તે સંબંધીના સાહિત્યને પ્રચાર કરવા ભલામણ કરવામાં આવે છે.
(૫) જેનો માટે એક જનરલ હોસ્પિટલની ખાસ જરૂર છે તો તે સ્થાપવા બનતા ઉપાય લેવા ઘટે. (૨૮) સાધુ-સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળો
પૂજ્ય મુનિ મહારાજાઓની બુદ્ધિ, શક્તિ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી તેમને જન કેમ તરફથી ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક અભ્યાસને માટે પૂરતી સરળતા અને
છતાં સાધનની જોગવાઈ કરી આપવામાં આવે તો તેઓ ઘણા સારા વિદ્વાન અને આદર્શ ત્યાગમૂર્તિ નિવડી સર્વદશ જાહેર વ્યાખ્યાન આપી વિદ્વત્તાપુર્ણ લેખે, પુસ્તકે લખી કોમને અને દુનિયાને ઘણે લાભ આપી શકે તે માટે:
(૧) તેમના અભ્યાસ માટે મુખ્ય મુખ્ય શહેરોમાં પાઠશાળા (Academy or Seminary) જૈન કોમ તરફથી સ્થાપિત થવી જોઇએ કે જ્યાં જૈનધર્મના સિદ્ધાંત અને ક્રિયાના શિક્ષણ ઉપરાંત દેશ તથા રાજભાષા તે વડાનિક તેમજ તુલનાત્મક દ્રષ્ટિએ કિસુરીનું શિક્ષણ તે વિષયમાં નિષ્ણાત આચાર્યો અને અધ્યાપકે તળે મળે તે ઉપરાંત ત્યાં અભ્યાસ કરનારનો સમાજશાસ્ત્રનો, જનસમાજની સેવાના વિવિધ માર્ગોને, તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રને સારે બેધ થઈ શકે, અને કોઈ વિષયને અભ્યાસ કરે હોય તો તેવી વ ત્યાં હોવી જોઈએ તે ઉપરાંત તેમાં તે સર્વ અભ્યાસને ચોગ્ય ઉત્તમ પુસ્તકાલય હોવું જોઈએ.
(૨) સાધુઓ માફક સાધ્વીઓના અભ્યાસ માટે પણ એવી જોગવાઈ થવી ખાસ આવશ્યક છે કે જેથી તેઓ પોતાનું આત્મહિત સાથે અને આપણી પછાત રહેલા અને અાન સ્ત્રીસમાજને અનેક પ્રકારનો લાભ આપી શકે. (૨૯) સીઓને મળવા જોઇતા વારસાહ.
જેનોને હિંદુ કાયદો લાગુ પડે છે અને તે આધારે પુત્રની હૈયાતીમાં પુત્રી કે સ્ત્રીનો ખસ સીધે વારસાને હક નથી તે તેમાં એ કંઈ ફેરફાર થવાની અગત્ય છે કે -
( ૧ ) બાપની તથા વડીલોપાર્જિત મિલ્કતમાં પુત્રીઓને વારસદાર તરીકે નિયત કરેલા ભાગ પ્રમાણે પુત્ર સાથે અમુક હિસ્સો મળવો જોઈએ.
( ૨ ) સંયુકત કુટુંબમાં પતિને વસિયતનામું કરવાને હક ન હોય ત્યાં તે મરણ પામતાં તેની વિધવા અને સંતાન, તેના પશ્ચાત વિદ્યમાન ભાઈઓ સાથે નિયત કરેલા નિયમ પ્રમાણે હિસ્સાદાર બનવા જોઈએ.
( 8 ) પતિની સ્વોપાર્જિત અને અલગ મિત પર તે જે નિઃસંતા મરણ પામે તો તેની વિધવા કૂલ માલકીની હકદાર થવી જોઈએ અને સંતાન ને વિધવા મુકી મરણું પામેલ હશે તે તે બધા નિયત કરેલા ભાગ પ્રમાણે હિસ્સેદાર થવા જોઈએ.
હિંદુ કાયદામાં આવા પ્રકારને ફેરફાર કરનારો કાયદે વડી ધારાસભામાં પાસ કરાવિવાને જે સંસ્થાઓ તરફથી પ્રયાસ કરવામાં આવત્તા હોય તેને કોન્ફરન્સ મદદ કરવી.
For Private And Personal Use Only