Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યસ્થ વાચકે દરેક ધર્મના સ્થાપકના જીવનને અભ્યાસ કરે જોઈએ. તેનામાં ચારિત્રય કેવું હતું, રાગદ્વેષ અજ્ઞાન વગેરે દુર્ગણે કેટલા અંશે હતા અને સચ આદિ ગુણે કેટલા અંશે ખીલ્યા હતા. મહિમા ચમત્કાર વગેરે પર ખ્યાલ ન આપતાં તેના આત્માની કેટલા અંશે શુદ્ધિ થઈ હતી તે પર ખાસ લક્ષ દેવું. રાષ્ટ્રની પેઠે ધર્મો પણ પ્રસંગે પામીને સ્થપાયા કરે છે માટે તે ક્ષેત્ર કાલ અવસ્થા આદિને પણ વિચાર કરે જોઇએ. રાજ્યની પિઠે ધર્મ સ્થાપકે પ્રવર્તક પણ દુનિયામાં પિતાના ધર્મને સ્થાપવા અનેક યુક્તિઓ કરે છે અને જન સમાજને પિતાના ધર્મમાં વાળવા ધર્મયુદ્ધને પણ ઉપયોગ કરવા ચુકતા નથી, ઈત્યાદિ વાતને ધ્યાનમાં લઈને સર્વ ધર્મના સ્થાપકોના પ્રવર્તકેના ઈતિહાસ વાંચવા જોઈએ, અને ધર્મ સ્થાપકોના મૂલ આશયોને ગ્રહવા જોઈએ, પશ્ચાત્ સિદ્ધાંતોની તુલના કરવી જોઈએ. ઈત્યાદિ ધ્યાનમાં રાખીને ધર્મની પરીક્ષા કરવાથી સંકુચિત દષ્ટિને નાશ થાય છે અને સર્વ ધર્મના શાસ્ત્રોમાંથી સત્યભાગ જોવામાં કઈ જાતને અવરોધ આવતો નથી. પિતાનાં બેર મીઠાં અને પારકાં ખાટાં એમ તે સર્વ ધર્મવાળાઓ રાગ મોહમાં મુંઝાઈને કથે છે, તેમજ પિત પિતાનાં ધર્મનાં શાશ્વેને પૂર્ણ સત્ય તરીકે જાહેર કરે છે પરંતુ એમ કહેવા માનવાથી અન્યધર્મના શાસ્ત્રના સત્યપર દાટે મારવામાં આવે છે અને તેથી આત્મા હૃદયની વિશાળતા શુદ્ધિ થતી નથી અને તેથી પરમાત્મપદની પ્રાપ્તિમાં અનેક અજ્ઞાનના પડદાઓ આવે છે, માટે રાગદ્વેષને ત્યાગ કરીને ધર્મશાસ્ત્રદ્વારા ધર્મ તને અનુભવ કરે જોઈએ. દેશ ધર્મ, સમાજ ધમ, નીતિ, રાષ્ટધર્મ, મેક્ષધર્મ વગેરેનું સમ્યગ સ્વરૂપ પ્રતિપાદન કરનારા પરમાત્મા તીર્થકર પ્રભુના ઉપદેશને અનુભવ કરે જઈએ. રાગદ્વેષને સર્વથા ક્ષય કરીને જેણે ત્રણ ગુણની પેલી પાર કેવલ જ્ઞાન પામીને ઉપદેશ આપ્યો છે એવા વશમા તીર્થકરમહાવીર પ્રભુના સિદ્ધાંતનું શ્રવણુ વાચન મનન કરીને આત્માદિ તને અનુભવ મેળવવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ ધર્મોમાં રહેલા સત્યને અપેક્ષાએ સમજાવ્યાં છે અને તેથી સર્વ ધર્મોને સત્યોમાં જે મતદાગ્રહ હતો તે દૂર કર્યો છે, તેથી ગુરૂગમ લેઈ જે કોઈ જૈનાગમને વાંચશે તે આત્માદિ તના સત્યને પામશે અને સર્વ ધર્મોપર થતા રાગદ્વેષને દૂર કરી સમભાવ પ્રાપ્ત કરી પરમાત્મપદ પ્રાપ્ત કરશે એમ મને અનુભવ આવે છે. ધર્માદિ સર્વ બાબતેને અપેક્ષાવાદને સમજાવી મતદાગ્રહ પક્ષપાત અજ્ઞાનતાને દૂર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 113