Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) પંથ શi gષ સરથાણા થતા सभूमि विश्वतो वृत्वा त्यतिष्ठदशांगुलम् ॥ સહશશીર્ષ પરમાત્મા છે. પરમાત્માને હજાર આંખે અને હજારો પગ છે. તે વિશ્વને ચારે તરફથી પરિષ્ઠન કરીને દશ અંગુલ અતિક્રમણ કરીને રહે. આવો અર્થ સનાતની વેદાંતિયો કરે છે. જૈન દૃષ્ટિએ જેને અર્થ નીચે મુજબ થાય છે. કેવલ જ્ઞાની આત્મારૂપ પરમાત્મા પુરૂષ હજારો બલ્ક કરોડો મનુષ્યો જે મસ્તકથી વિચાર ન કરી શકે તેને તે વિચાર કરી શકે છે. માટે તે સહશશી છે. હજારે કરડે મનુષ્યો જે ન દેખી શકે તે કેવલજ્ઞાની પુરૂષ દેખી શકે છે. હજારે કરડે મનુષ્ય હાથોથી અને પાદેથી જે ન કરી શકે તે કેવલ જ્ઞાની પુરૂષ કરી શકે છે. તે વિશ્વની ભૂમિમાં રહીને સના કરતાં દશ આંગુલ અર્થાત સર્વના કરતાં દશ ગણી મહત્તાને અતિક્રમી આયુષ્યની મર્યાદા સુધી જગતમાં રહે છે. પછી તે શરીર રહિત શી સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. पुरुष एवेदं सर्व यद्भूतं यच्च भव्यम् उतामृतत्व स्येशानो यदन्ने नातिरोहति ॥ અર્થ—આ સર્વ પુરૂષ છે. ભૂત ભવિષ્ય વર્તમાન રૂપ જે કંઈ છે તે પરમેશ્વર છે. અમૃતપણને તે સ્વામી છે અને વડે અતિરહે છે. જેના દષ્ટિએ નીચે પ્રમાણે અથ ગ્રહણ કરે. આ સૂકત આત્માની સ્તુતિ પરક છે. જે કંઈ શરીરમાં દેખાય છે અનુભવાય છે તે આત્મારૂપ પુરૂષ પૂર્વકાલમાં અનેક પર્યાથી હતું. વર્તમાનમાં અનેક પર્યાથી વિદ્યમાન છે અને ભવિષ્યમાં અનેક પર્યાથી થશે. તે આત્મા પિતાના આનંદરૂપ અમૃતપશુને પિતે સ્વામી છે. કારણ કે આત્માને આનંદ છે તે આત્મા વિના અન્યત્ર નથી માટે શરીર છે તે અન્નવડે વધે છે પરંતુ શરીરમાં રહેલો આત્મા તે અન્નનું અતિક્રમણ કરીને અર્થાત ભજન વિના પોતાના સત્યાનંદથી પુષ્ટ થાય છે. જ્ઞાનદર્શન ચારિત્ર્ય આત્મા પિતાના આનંદ ગુણવડે વૃદ્ધિ પામે છે. एता वानस्य महिमातो ज्यायांश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्पामृतं दिवि ।। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113