________________
(૩.૧) અનંત શક્તિઓ કઈ ? કેવી ?
પ્રશ્નકર્તા : આત્માની જે અનંત શક્તિ છે, એ આ સંસારમાંથી છૂટવા માટે જ અનંત શક્તિ છે ?
૫૩
દાદાશ્રી : આમાંથી છૂટાય એવું જ નથી આ. છૂટાય એવું જ નથી એટલે અનંત શક્તિના આધારે છૂટી જાય છે, નહીં તો આમાં તો જે આ જડે બાંધ્યો છે, આત્માને કોણે બાંધ્યો છે ? વેલ્ડિંગથી કાપ્યું કપાય એવું નથી. આ લોખંડ તો વેલ્ડિંગથીય કપાઈ જાય. પણ આ તો એવું છે બંધન ! હા, આ એવું છે અનંત કે વેલ્ડિંગ કે કોઈથી કપાય નહીં એવું છે. એ જ્ઞાની પુરુષ એકલા જ કાપે આને.
પ્રશ્નકર્તા ઃ એટલે અનંત શક્તિનો ઉપયોગ આ છોડાવવા માટે જ કરવાનો છે ?
દાદાશ્રી : છૂટવા માટે જ બધી અનંત શક્તિ વાપરવાની છે. તે અનંત શક્તિ વપરાય ક્યારે ? જ્ઞાની પુરુષ મળ્યા પછી આત્મા છૂટો પાડે ત્યારે અનંત શક્તિ (વપરાય), નહીં તો ત્યાં સુધી અનંત શક્તિ હોય જ નહીં.
આત્મશક્તિ છે શુદ્ધતા-અપરિગ્રહ-વીતરાગતા-તિર્ભયતાથી
પ્રશ્નકર્તા : આત્માની જે અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિ કોઈ પરિગ્રહને કારણે નહીં પણ તેની શુદ્ધતાને કારણે ને ?
દાદાશ્રી : એની શુદ્ધતાને કારણે.
પ્રશ્નકર્તા : પરિગ્રહને કારણે નહીંને ?
દાદાશ્રી : પરિગ્રહ હોય તો તો શક્તિવાળો કહેવાય જ નહીંને ! હથિયાર વગરની શક્તિ.
પ્રશ્નકર્તા : વ્યાપકપણું છે એ પણ શુદ્ધતાને લીધે ?
દાદાશ્રી : શુદ્ધતાને લીધે જ ને ! બધું શુદ્ધતાને લીધે. પ્રશ્નકર્તા : આત્મા એ શુદ્ધ સ્વરૂપની શક્તિ છે ? ચેતના ?