Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 439
________________ ૩૫૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) અને આત્માના જે ગુણધર્મો છે ને એ જે બોલે છે ને, એને સિદ્ધ સ્તુતિ કહે છે. એ ગાયા કરે તો ઘણું કામ કાઢી નાખે. અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું.” “અનંત જ્ઞાનવાળો છું દસ-દસ વખત બોલે, “અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું,' એવું દસ-દસ વખત બોલે, ક્યાં જઈને પહોંચે ! કેટલો બધો ઉપયોગ થાય ! અને એ તદન શુદ્ધ ઉપયોગ ! સિદ્ધ સ્તુતિ કહી, હોં ! પ્રશ્નકર્તા સિદ્ધ સ્તુતિ ! દાદાશ્રી : હા, સિદ્ધ સ્તુતિ. અહીંયા આગળ આ દુનિયા ઉપર સિદ્ધ સ્તુતિ કહી. કોઈ દહાડો બોલેલો કે ? કોઈ દહાડોય નહીં ? આ સિદ્ધ સ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ? કંઈ બીજાનો ભાગ છે મહીં ? પ્રશ્નકર્તા: આપણા બાપની જ ! દાદાશ્રી : કોઈનો ભાગ નહીં? બાપનો હશેને ભાગ ? પ્રશ્નકર્તા સહેજેય નહીં. દાદાશ્રી : તું કહું છું ને આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરું બહુ, નહીં? આમાં કંઈ અઘરું છે ? પ્રશ્નકર્તા: અઘરું તો નથી, દાદા. દાદાશ્રી: ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએને તો બધું સવળું થઈ જાય એવું છે. પ્રશ્નકર્તા ઃ આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે? ગુણો સમજીને બોલવું પડે ?

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450